________________
તીર્થકર ચરિત્ર-ભમલિ–કથા
૧૫૫
પરિપૂર્ણ હતી. અશુચિ, વિકૃત, વિરસ અને જોવામાં શું તે પ્રતિમા બીભત્સ અને ડરામણી હતી? શું તે પ્રતિમાની દુર્ગધ એવા પ્રકારની હતી ? ના, તે અર્થ બરાબર નથી. તે દૂર્ગધ એથી પણ વધારે અનિષ્ઠતર, અરમણિય, અપ્રિય, અમનોજ્ઞ અને અમનામતર હતી. ૦-૧ ઇસ્યાકુરાજ-પ્રતિબુદ્ધિ અધિકાર :પ્રતિબુદ્ધિ રાજાની પદ્માવતી રાણીનો નાગ મહોત્સવ :
તે કાળે તે સમયે કૌશલ નામક જનપદ હતું. ત્યાં સાકેત નામે નગર હતું. તેના ઇશાન ખૂણામાં દિવ્ય, કામનાપૂર્ણ કરનાર અતિશય યુક્ત એક વિશાળ નાગગૃહ હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધિ નામક ઇત્ત્વાકુ રાજ રહેતો હતો. તેની પત્નીનું નામ પદ્માવતી હતું. સામ, દંડ, ભેદ આદિ રાજનીતિઓમાં કુશળ અને નિયવિજ્ઞ સુબુદ્ધિ અમાત્ય હતો.
કોઈ વખતે તે પદ્માવતી રાણીનો નાગ મહોત્સવ હતો. નાગ મહોત્સવનો દિવસ આવ્યો ત્યારે તે પદ્માવતી દેવી પ્રતિબુદ્ધિ રાજા પાસે આવી, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, દશ નખ ભેગા કરી નમસ્કાર કર્યો, જયવિજય શબ્દો વડે વધાવી આ પ્રમાણે બોલી, હે સ્વામિન્ ! કાલે મારે નાગમહોત્સવ છે. હું તે મનાવવા માંગુ છું. જો આપ આજ્ઞા આપો તો હું તે મનાવવા જઉં. આપ પણ આ નાગ મહોત્સવમાં પધારો.
પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી રાણીની વાત સાંભળી, ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા દ્વારા પોતાની પ્રાર્થનાનો સ્વીકાર થયો જાણીને પદ્માવતી રાણી ખુશ થઈ સંતુષ્ટ થઈ. પછી પદ્માવતી દેવીએ કૌટુંબિક પરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! કાલે મારે નાગ મહોત્સવ છે. તો તમે માલાકારને બોલાવીને એમ કહો કે, કાલે પદ્માવતી દેવીને નાગ મહોત્સવ છે, તો હે દેવાનુપ્રિયો ! જળસ્થળમાં ઉત્પન્ન વિકસિત પંચવર્ણા પુષ્પો અને તેની માળાઓ નાગગૃહમાં પહોંચાડો. સાથે એક મહાશોભા સંપન્ન શ્રીદામકાંડ લાવવું.
ત્યાર પછી જલ થલ ઉત્પન્ન સુવિકસિત પંચરંગી પુષ્પોમાંથી બનાવેલ હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મદનલાલ, કોકિલ, ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિડગ, વ્યાલ, કિન્નર, સસ, સરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતા વગેરેના આશ્ચર્યજનક ચિત્રોથી શોભિત, વૈભવશાળી, મહાપુરુષોને યોગ્ય વિશાળ પુષ્પમંડપ બનાવો. તેની બરાબર મધ્યમાં ચંદરવામાં એક મહાન્ (મોટું) – યાવત્ – પોતાની સુરભિગંધથી વાતાવરણને સુગંધમય બનાવતું એવું શ્રીદામકાંડ લટકાવો. પછી પદ્માવતી રાણીની પ્રતિક્ષા કરતા ત્યાં બેસો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ એ પ્રમાણે કર્યું – યાવત્ – પદ્માવતી દેવીની પ્રતિક્ષા કરતા ત્યાં બેઠા.
ત્યાર પછી રાત્રિના અંધકારથી આચ્છાદિત પ્રભાવાળા – યાવત્ – સહસ્રરશ્મિ દિનકર તેજથી દીતિમાનું સૂર્ય ઉદિત થયો ત્યારે તે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલદીથી અંદરબહાર સુગંધી જળને સિંચીને, સાફ કરીને, લીંપીને સાકેત નગરને – યાવત્ – સુગંધની ડબ્બી અથવા વાટિકા જેવું કરી દો – બીજા પાસે કરાવો. આ કાર્ય કરી-કરાવીને પછી આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો. તેઓએ પણ તેમ કરીને સૂચના આપી.
ત્યાર પછી પદ્માવતી દેવીએ ફરી – બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org