SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ માસક્ષમણનો તપ કરવા વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. આવા પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાના ફળ સ્વરૂપ મહાબલ આદિ સાતે અણગારો શરીરથી શુષ્ક, કૃશ થઈ ગયા. તેઓના શરીર માંસ રહિત, કડકડ કરતા હોય તેવા, હાડકાં અને ચામડાના આવરણ માત્ર, કૃશ, ધમની જેવા થઈ ગયા. સ્કંદક ઋષિના વર્ણન અનુસાર જાણવા (જુઓ સ્કંદક કથાનક) ફર્ક માત્ર એટલો કે, સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત કરીને ધીમે ધીમે ચારુ નામના પર્વત પર ચઢે છે. ચઢીને – યાવત્ – બે માસની સંલેખના દ્વારા આત્માને તપાવતા (ઝોસણા કરતા) ૧૨૦ ભક્તના અનશન પૂર્વક ચોર્યાશી લાખ વર્ષનો શ્રમણ પર્યાય પાળીને, ચોર્યાશી લાખ પૂર્વ વર્ષનું સમસ્ત આયુ ભોગવીને જયંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. જયંત વિમાનમાં કેટલાંક દેવોની બત્રીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) હોય છે. ત્યાં મહાબલ રાજર્ષિ સિવાયના છ (રાજર્ષિ) દેવોની સ્થિતિ બત્રીશ સાગરોપમથી કંઈક ન્યૂન હતી. મહાબલ (રાજર્ષિ) દેવની સ્થિતિ પરિપૂર્ણ બત્રીશ સાગરોપમની હતી. ૦ મહાબલ દેવના છ મિત્ર દેવોનો મનુષ્ય ભવ :- ત્યાર પછી મહાબલ દેવ સિવાયના છ દેવોના દેવઆયુ – દેવભવ અને દેવસ્થિતિનો ક્ષય થવાથી અંતર રહિતપણે દેવલોકથી ચ્યવીને આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિશુદ્ધ માતા–પિતાના વંશવાળા રાજકૂળોમાં પ્રત્યેક પૃથક્-પૃથક્ પુત્રરૂપે ઉત્પન્ન થયા ૧. ઇક્ષ્વાકુરાજપ્રતિબુદ્ધિ, ૨. અંગરાજચંદ્રચ્છાય, ૩. કાશીરાજ-શંખ, ૪. કુણાલાધિપતિરૂપી (રુકમી), ૫. કુરુરાજઅદીનશત્રુ અને ૬. પંચાલાધિપતિ-જિતશત્રુ. ૦ ભ૰મલ્લિનું ચ્યવન (ગર્ભાવતરણ) :– ત્યાર પછી જ્યારે સૂર્યાદિ ગ્રહો પોતાના ઉચ્ચસ્થાનમાં હતા, દિશાઓ સૌમ્ય, અંધકાર રહિત વિશુદ્ધ હતી, પક્ષીઓ દ્વારા જયસૂચક શબ્દારવ થઈ રહ્યો હતો, વાયુ પૃથ્વીનો સ્પર્શ કરતો એવો અનુકૂળ વહી રહ્યો હતો, ઊભા પાકથી પૃથ્વી હરીભરી થયેલી હતી, જેના કારણે પ્રજાજન આનંદમગ્ન થઈને વિવિધ પ્રકારની ક્રીડાઓમાં રત હતા, ત્યારે (તે કાળું) અર્ધરાત્રિ (મધ્યરાત્રિ) સમયે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે હેમંત ઋતુનો ચોથો માસ, આઠમો પક્ષ અર્થાત્ ફાગણ સુદ ચોથના દિવસે, જયંત વિમાને સંપૂર્ણ બત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવ્યા બાદ આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભક (કુંભ) રાજાની પત્ની પ્રભાવતી રાણીની કુક્ષિમાં તે મહાબલ રાજા (દેવ)નો જીવ દેવ સંબંધિ આહાર–ભવ અને શરીરની સ્થિતિનો અંત કરીને પુત્રીરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા. પ્રભુને ગર્ભોત્પતિથી ત્રણ જ્ઞાન હતા. ૧૫૨ - જે રાત્રિએ ભમલ્લિ પ્રભાવતી માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે રાત્રિ એ તે પ્રભાવતી રાણી ગજ–વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. પોતાના પતિ કુંભરાજાને સ્વપ્નની વાત કરી, સ્વપ્ન પાઠકોને પૂછયું – યાવત્ – પ્રભાવતી રાણી વિપુલ ભોગોપભોગને ભોગવતી સમય વ્યતીત કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીને ગર્ભાવસ્થાના ત્રણ મહિના પુરા થયા ત્યારે આવા પ્રકારનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થઈ – તે માતાઓ ધન્ય છે, જે જલ કે સ્થલમાં ઉત્પન્ન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy