________________
તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા
૧૫૧
છઠનો તપ કરતો તો તે વખતે મહાબલ અણગાર અઠમ તપ કરતા હતા. આ રીતે
જ્યારે બીજા અઠમ તપ કરે ત્યારે મહાબલ અણગાર ચાર ઉપવાસ કરે ઇત્યાદિ પરિણામે આ પ્રકારનો (માયાયુક્ત) તપ કરવાને કારણે મહાબલ રાજર્ષિએ સ્ત્રી નામ ગોત્રકર્મનું ઉપાર્જન કર્યું. ૦ મહાબલ રાજર્ષિ દ્વારા તીર્થકર નામકર્મ ઉપાર્જન :
(વિશુદ્ધ તપ આરાધનાને લીધે) નિમ્નોક્ત વીશ સ્થાનોની વારંવાર આરાધના– આસેવના કરવાને કારણે મહાબલ રાજર્ષિએ તીર્થંકર નામ ગોત્ર, કર્મનું પણ ઉપાર્જન કર્યું. ૧. અરિહંત વત્સલતા, ૨. સિદ્ધ વત્સલતા, ૩. પ્રવચન વત્સલતા, ૪. ગુરુ વત્સલતા, ૫.
સ્થવિર વત્સલતા, ૬. બહુશ્રુત વત્સલતા, ૭. તપસ્વી વત્સલતા, ૮. નિરંતર જ્ઞાનોપયોગ ૯. દર્શન વિશુદ્ધિ, ૧૦. વિનયસંપન્નતા, ૧૧. આવશ્યક (ક્રિયાઓ વિધિ – બહુમાન સહિત કરવી), ૧૨. શીલ-ઉત્તર ગુણ, વ્રત–મૂળગુણ (આ શીલ અને વ્રતનું નિરતિચાર પાલન કરવું તે) ૧૩. ક્ષણલવ, ૧૪. તપ, ૧૫. ત્યાગ, ૧૬. વૈયાવચ્ચ, ૧૭. સમાધિ, ૧૮. અપૂર્વ જ્ઞાન ગ્રહણ, ૧૯. શ્રુત ભક્તિ, ૨૦. પ્રવચન પ્રભાવના.
(વીશે સ્થાનકની વ્યાખ્યા નાયાધમકહા સૂત્ર ૭૭ થી ૭૯ની વૃત્તિમાં છે, આવશ્યક નિર્યુક્તિ ૧૭૯, ૧૮૦, ૧૮૧ની વૃત્તિમાં અને નિયુક્તિ અવમૂર્ણિમાં પણ છે. જે અમે ઋષભદેવના કથાનકમાં આપેલી છે)
-(આ વીશ સ્થાનકમાં આવશ્યક ચૂર્ણિ આદિમાં શીલ અને વ્રત સ્થાનક ૧૨ને જૂદા ગણે છે અને ૧૭માં સમાધિ સ્થાનકને ક્ષણલવ, તપ, ત્યાગ અને વૈયાવચ્ચ સાથે જોડે છે. જેમકે તપ સમાધિ, ત્યાગ સમાધિ એ પ્રમાણે).
– (વર્તમાન કાળે આ વીશ નામોમાં ઘણા પરિવર્તન જોવા મળે છે.)
– (ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. ગુરુ/આચાર્ય, ૫. સ્થવિર, ૬. બહુશ્રુત/ઉપાધ્યાય, ૭. તપસ્વી/સાધુ, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. ચારિત્ર આવશ્યક, ૧૨. શીલ + વ્રત, ૧૩. સસલવ/સમાધિ ૧૪. તપ, ૧૫. દાન, ૧૬, વૈયાવચ્ચ ૧૭. સંયમ, ૧૮. અભિનવ જ્ઞાન, ૧૯. શ્રત અને ૨૦. તીર્થ/પ્રભાવના એ રીતે વીશ સ્થાનકો જણાવ્યા છે)
આ વીશ સ્થાનકોની આરાધના વડે (આ – આ વિશમાંના કોઈપણ કારણ વડે) જીવ તીર્થકર નામ, ગોત્ર, કર્મનું ઉપાર્જન કરે છે. ૦ મહાબલ આદિ રાજર્ષિઓની તપશ્ચર્યા :
ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારે એક માસિક ભિક્ષુ પ્રતિમા – યાવત. - એક રાત્રિકી ભિક્ષુ પ્રતિમાની ઉપાસના પૂર્વક વિચરણ કર્યું. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારે ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ કર્મ સ્વીકાર્યું. ત્યાર પછી તે મહાબલ વગેરે સાતે અણગારે બે વર્ષ અને અઠાવીશ દિવસમાં પુરો થતો એવા લઘુસિંહનિષ્ઠીતતપની યથાસૂત્ર – યાવત્ – આજ્ઞાનુસાર આરાધના કરીને જ્યા સ્થવિર ભગવંતો બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને નિવેદન કર્યું કે, હે ભગવંત! અમે મહાસિંહનિષ્ક્રીડિત તપોકર્મ કરવાની ઇચ્છા રાખીએ છીએ.
ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર મહાસિંહનિષ્ક્રીડિત તપને સૂત્રાનુસાર - યાવત્ – આરાધના કરીને જ્યાં સ્થવિર ભગવંત છે ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યો. પછી ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અઠમ યાવત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org