________________
૧૫૦
આગમ કથાનુયોગ-૧
રખ્યા. લગ્ન પણ બધાંના એક સમયે થયા. બાળબચ્ચાવાળા થયા. તે બધાં પરસ્પર અનુરક્ત હતા. એકબીજાને અનુસરવાવાળા હતા. સમાન ઇચ્છા-વૃત્તિવાળા હતા. એકબીજાના હિતાકાંક્ષી હતા, એકબીજા પ્રત્યે પ્રીતિવાળા હતા. પોતપોતાના કર્તવ્ય-ચોગ્ય કાર્યો કરતા કરતા સમય વ્યતીત કરતા હતા.
આ પ્રકારે સમય વ્યતીત કરતા, તે બધાં રાજા કોઈ એક સમયે એક સ્થાને ભેગા થયા. ત્યારે પરસ્પર તેઓએ એવો વિચાર કર્યો કે, હે દેવાનુપ્રિયો ! આપણા સુખનું કામ હોય કે દુઃખનું આપણે પ્રવજ્યા લેવી હોય કે પરદેશગમન કરવું હોય. આવા પ્રકારનું કોઈપણ કાર્ય હોય તો આપણે બધાં એક સાથે મળીને તે કાર્યને કરીશું. આવો નિર્ણય કરી તેઓ પરસ્પર વચનબદ્ધ થયા. ૦ મહાબલ અને તેના મિત્રોની દીક્ષા :
તે કાળ અને તે સમયે ઇન્દ્ર કુંભ ઉદ્યાનમાં સ્થવિરો પધાર્યા. પર્ષદા નીકળી. મહાબલરાજા પણ ધર્મને શ્રવણગ્રહણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયો. વિશેષ એટલે કે, છે બાળમિત્રોને પૂછી લઉં અને બળભદ્રકુમારનો રાજ્યાભિષેક કરી દઉં – યાવત્ – તે છ બાળ મિત્રોને પૂછે છે. ત્યારે તે છ એ બાળમિત્રોએ મહાબલ રાજાને એવું કહ્યું કે, હું દેવાનુપ્રિય ! જો તમે દીક્ષા લેવા ઇચ્છતા હો તો અમારે બીજું કોણ આધાર કે અવલંબન છે ? અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું.
ત્યારે તે મહાબલ રાજાઓ તે છ બાલમિત્રોને આ રીતે કહ્યું કે, જો તમે પણ મારા સાથે દીક્ષિત થવા ઇચ્છતા હો, તો પોતપોતાના રાજ્યમાં જઈ, તમારા રાજ્યોને પોતપોતાના જયેષ્ઠ પુત્રોને સોંપીને, ત્યાર પછી પુરુષ સહસ્ત્રવાહિની શિબિકાઓમાં બેસીને મારી પાસે આવ્યો. તે બધાં પણ મહાબલે કહ્યા પ્રમાણે કાર્ય નિષ્પન્ન કરીને આવ્યા.
મહાબલ રાજા મિત્રોને જોઈને ખુશ થયો. સંતુષ્ટ થયો. પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને – યાવત્ – બલભદ્રકુમારનો રાજ્યાભિષેક કરે છે – યાવત્ – બલભદ્ર રાજાને પૂછયું. ત્યાર પછી તે મહાબલ રાજા પોતાના છ એ બાલમિત્રો સાથે મડાનું દ્ધિયુક્ત ઉત્સવ આદિ સમારોહપૂર્વક દીક્ષિત થયો. તેણે અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ આદિ વિવિધ પ્રકારની તપસ્યાઓ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યા. ૦ મહાબલ રાજર્ષિનો માયાયુક્ત તપ :
- ત્યાર પછી એક સ્થાને એકઠા થયેલા તે મહાબલ આદિ સાતે સાધુ ભગવંતોને કોઈ વખતે પરસ્પર વાત કરતા એવો વિચાર આવ્યો, હે દેવાનુપ્રિયો ! આપણામાંનો જે કોઈ એક તપ વિશેષને સ્વીકારશે, આપણે બધાં તે જ તપ વિશેષને આદરીશું આ પ્રકારનો નિશ્ચય કરીને પરસ્પર એકબીજાએ આ સંકલ્પનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓ સર્વે ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસ ક્ષમણ, માસક્ષમણ આદિ વિવિધ તપસ્યા વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યાર પછી મહાબલ અણગાર સિવાયના બાકીના છ અણગાર જ્યારે ઉપવાસ કરતા ત્યારે મહાબલ અણગાર છઠનો તપ કરતા હતા. જો બાકીના છ અણગાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org