________________
તીર્થકર ચરિત્ર–ભમધિ-કથા
૧૪૯
(૧૯) ભમલ્લિકથાનક :
– કથાનો મુખ્ય આગમ સંદર્ભ :- નાયાધમ્મકહા – કથાના બોલ સંગ્રહ – સંદર્ભ :- ૧. સમવાય ૨. આવશ્યક ૩. તિર્થોગાલિત
આ અવસર્પિણીમાં આ જંબૂલીપના ભરત ક્ષેત્રમાં ઓગણીસમાં તીર્થકર ભગવંત શ્રી મલ્લિનાથ થયા. તેઓ પૂર્વભવમાં મહાબલ નામે માંડલિક રાજા હતા. ૦ ભ૦ મલ્લિનો પૂર્વભવ :
તે કાળે અને તે સમયે આ જ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, સીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં, સુખાવહ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલિલાવતી નામની વિજય હતી. તે સલિલાવતી વિજયમાં નવ યોજન વિસ્તારવાળી થાવત્ પ્રત્યક્ષ દેવલોક સમાન લાગતી વીતશોકા નામની રાજધાની હતી. તે વીતશોકા રાજધાનીના ઇશાન ખૂણામાં ઇન્દ્રકુંભ નામક એક ઉદ્યાન હતું. તે વીતશોકા રાજધાનીમાં બલ નામનો રાજા હતો. તેને ધારિણી વગેરે ૧,૦૦૦ રાણીઓનું અંતઃપુર હતું.
કોઈ સમયે સિંહનું સ્વપ્ન જોઈને તે ધારિણી રાણી નિદ્રામાંથી જાગ્યા – યાવત્ - મહાબલ નામના પુત્રને જન્મ આપ્યો. (સમવાય – સૂત્ર ર૭૪ મુજબ ભ મલ્લિના પૂર્વભવનું નામ નંદન હતું.) – યાવત્ – તે બાળક બાલ્યાવસ્થા પૂર્ણ કરીને – યાવત્ – તે ભોગ ભોગવવામાં સમર્થ થયો. ત્યાર પછી માતા-પિતાએ તે મહાબલના એક જ દિવસે સમાન કુળ અને વય વાળી કમલશ્રી આદિ પ૦૦ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૫૦૦ પ્રાસાદ, ૫૦૦ પ્રમાણ દાય પ્રાપ્ત થયો – યાવત્ – મનુષ્યભવ સંબંધિ કામભોગોનો ભોગોપભોગ કરતા સમય વ્યતીત કરવા લાગ્યા.
તે કાળ અને તે સમયમાં ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં સ્થવિરો પધાર્યા. પર્ષદા ધર્મ શ્રવણ માટે નીકળી. બલ રાજા પણ નીકળ્યો. ધર્મનું શ્રવણ અને ગ્રહણ કરી હષ્ટ-તુષ્ટ થઈને Wવિરોને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદના-નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે, “હું ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું -- યાવત્ - અહીં એટલું વિશેષ કે મહાબલ કુમારનો રાજ્યાભિષેક કરીશ. ત્યાર પછી આપ દેવાનુપ્રિયાની પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વ સ્વીકારીશ.
હે દેવાનુપ્રિય ! જેમ અનુકૂળ લાગે તેમ કરો – યાવત્ – અગિયાર અંગોના જ્ઞાતા થયા. ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને ચાર પર્વત પર આવીને એક માસનું ભક્ત પ્રત્યાખ્યાન કરીને બલરાજા સિદ્ધ થયા. ત્યાર પછી કોઈ સમયે મહાબલ રાજાની પત્ની રાણી કમલ શ્રી સ્વપ્નમાં સિંહ જોઈને જાગી – યાવત્ – તેણીએ બલભદ્ર નામના કુમારને જન્મ આપ્યો. જે કાળક્રમે યુવરાજ થઈ ગયો. ૦ મહાબલ રાજા અને તેના મિત્રો :
તે મહાબલ રાજાને છ પ્રિય બાળમિત્રો કે જે રાજા હતા – તે આ પ્રમાણે :– ૧. અચલ, ૨. ધરણ, ૩. પૂરણ, ૪. વસુ, ૫. વૈશ્રમણ અને ૬. અભિચંદ્ર. આ મિત્રોના જન્મ પણ મહાબલના જન્મની સાથે સાથે થયો. મોટા પણ સાથે-સાથે થયા. ધૂળમાં પણ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org