________________
૧૪૮
આગમ કથાનુયોગ–૧
પોતપોતાની ભાષામાં સમજી શકે તે રીતે ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. તે ધર્મદેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી. ચતુર્યામ ધર્મરૂપ શ્રમણ ધર્મની પ્રરૂપણા કરી. સામાયિકરૂપ ચારિત્ર પ્રવર્તાવ્યું. પ્રભુના શાસનના સાધુ-સાધ્વીજીઓ સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાવાળા હોવાથી તેઓને માટે ધર્મોપદેશ પામવો અતિ સુગમ હતો.
અરનાથસ્વામીને ૩૩ ગણ અને ૩૩ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “કુંભ” હતું. “રક્ષિતા” પ્રભુના પ્રથમ શિષ્યા હતા. પ્રભુના ચતુર્વિધ સંઘની ઉત્કૃષ્ટ સંપદા આ પ્રમાણે હતી પ૦,૦૦૦ શ્રમણો, ૭૦,૦૦૦ શ્રમણીઓ, ૧,૮૪,૦૦૦ શ્રાવકો અને ૩,૭૨,૦૦૦ શ્રાવિકાઓ. અરનાથ ભગવંતના શિષ્યોમાં ૨,૬૦૦ અવધિજ્ઞાની, ૨,૫૫૧ મન:પર્યવજ્ઞાની ૨,૮૦૦ કેવળજ્ઞાની મુનિ, ૬૧૦ ચૌદ પૂર્વી, ૭,૩૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૧,૬૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
આ રીતે પ્રભુ ૨૧,૦૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ત્રણ વર્ષ તેઓએ છઘસ્થ રૂપે પસાર કર્યા અને ૨૦,૯૯૭ વર્ષ પ્રભુએ કેવળજ્ઞાની અવસ્થામાં વિચરણ કર્યું. કુમાર અવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રમણ પર્યાય એમ બધું મળીને ૮૪,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ પરમાત્માએ ભોગવેલું. જ્યારે પ્રભુએ પોતાનો નિર્વાણકાળ નિકટ છે. તેમ જાણ્યું ત્યારે પ્રભુ સમેત શિખર નામના પર્વત પર પધાર્યા. ત્યાં ૧,૦૦૦ મુનિઓ સહિત અનશન સ્વીકાર્યું. એક માસના નિર્જળ – ઉપવાસ બાદ, માગસર સુદ દશમને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મહાનંદ પદ રૂપ મોક્ષે સિધાવ્યા. એ રીતે અરનાથ સ્વામી કુલ ૮૪,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. ઇન્દ્રો સહિત દેવોએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો.
અરનાથ પ્રભુના નિર્વાણ બાદ એક હજાર કરોડ વર્ષે ઓગણીસમાં તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા.
૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૭, ૧૧૪, ૯૦૭; સમ ૪૯, ૫, ૫૪, ૯૯, ૨૬૩, ૨૬૬, ૨૬૮, ૨૭૦,
૨૭૧, ૨૭૪, ૨૭૬, ૨૭૯, ૨૮૪ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૨, ૨૯૪, ૨૫, ૨૯૭,
૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧૨, થી ૩૧૭, ૩૨૦; ભગ ૭૯૪;
આવ મ ૫, ૪3; આવનિ ૧૮૨, ૨૦૯ થી ૨૩૬, ૨૩૯, ૨૪૯, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ર૬૫, ૨૬૮ થી
ર૭૧, ૨૭૫, ૨૯૪, ૩૦ર, ૩૦૫ થી ૩૦૭, ૩૧૧, ૩૧૯ થી ૩૨૧, ૩૨૫, ૩૨૯, ૩૪૧, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯ થી ૩૯૯, ૪૦૧, ૪૧૫
(ની વૃત્તિ), ૧૦૮૮; આવ.ચૂ.૧–પૃ. ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૧૮, ૨૨૦; આવ મા ૨૩૭ થી ૨૪3; ઉત્ત. ૧૧૯ + વૃ. ઉત્ત.ભાવ. ૩૬૮; નંદી. ૧૯; કલ્પ. ૧૭૩; તિત્વો. ૩૩૦, ૩૩૧, ૩૪૧, ૩૬૩, ૩૯૩, ૪૦૬, ૪૫ર, ૪૮૧, પપ૯;
– ૪
– ૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org