________________
૧૪૪
આગમ કથાનુયોગ-૧
તેમના પિતા સૂર રાજાએ તેમને રાજ્ય ભાર સોંપી પોતે પોતાનું આત્મહિત સાધ્યું. કુંથુનાથ સ્વામી માંડલિક રાજા થયા.
પ્રભુએ માંડલિક રાજાપણે રાજ્યનું પાલન કરતા કરતા બીજા ૨૩,૭૫૦ વર્ષ પસાર કર્યા ત્યારે તેમની આયુધ શાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ચક્રરત્નની પૂજા કરી. ચક્રરત્નને અનુસરતા (ભરત ચક્રવર્તી કથાનક પ્રમાણે) દિગ્વીજય કરતા કરતા ૬૦૦ વર્ષમાં આખા ભરત ક્ષેત્રને છ ખંડ સહિત જીતી લીધું. સર્વ રાણીઓમાં મુખ્ય એવી સ્ત્રીરત્ન રૂપે “કૃષ્ણ શ્રી''ની પણ પ્રાપ્તિ થઈ. દીર્ધકાળ સુધી તેણે સ્ત્રીરત્ન (આદિ અંતઃપુર) તથા ચક્રવર્તીને પ્રાપ્ત એવી સર્વ સમૃદ્ધિને ભોગવી. એ રીતે ચક્રવર્તીપણામાં પણ ૨૩,૭૫૦ વર્ષનો કાળ નિર્ગમન કર્યો. કુલ ૪૭,૫૦૦ વર્ષ પ્રભુ રાજ્યાવસ્થામાં રહ્યા.
૦ ભકુંથુનાથની દીક્ષા :- કુંથુનાથ પ્રભુ ૭૧,૨૫૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. ત્યારે ભગવંતનો દીક્ષા અવસર જાણી (છેલ્લા વર્ષ) લોકાંતિક દેવોએ સ્વયંબુદ્ધ એવા પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી. પ્રભુ પણ અવધિજ્ઞાનથી જાણતા જ હતા. તેથી પુત્રને રાજ્ય અને અર્થજનોને વાર્ષિક દાન આપી પ્રભુ દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. ત્યારે દેવેન્દ્ર અને નરેન્દ્રએ પ્રભુનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને છ ખંડ એવા સમગ્ર ભરત ક્ષેત્રના રાજ્યનો પરિત્યાગ કરીને, વૈશાખ વદ પાંચમ (ગુજરાતી ચૈત્રવદ–૫)ના દિવસે અભયકરા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં કુંથુનાથ ભગવંત ગજપુર (હસ્તિનાપુર) નગરીથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. પ્રભુએ છઠનો તપ કર્યો હતો. તે દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્સામ્રવનમાં પ્રભુએ ૧,૦૦૦, પુરુષો સહિત દીક્ષા ગ્રહણ કરી. જન્મથી ત્રણ જ્ઞાનના ધારક એવા પ્રભુને વ્રત ગ્રહણ કરતાની સાથે જ ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી કુંથુનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી –- ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ-રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. પ્રભુએ ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્તપણે પૃથ્વી પર વિચરણ કર્યું. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરતા, કુંથુનાથ પ્રભુ સોળ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા.
તે કાળે કુંથુનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્રસુદ-ત્રીજને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરની બહાર જ્યાં પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલી તે સહસ્ત્રાપ્રવનમાં પધારેલ પ્રભુને તિલક વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વ ઇન્દ્રાદિ દેવતા ત્યાં પધાર્યા. ત્રણ પ્રકારથી મંડિત એવા સમવસરણની રચના કરી. દેવતા રચિત સુવર્ણ કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ધર્મચક્રી અને જગદ્ગર એવા કુંથુનાથ સ્વામીએ ચારસો વીશ ધનુષ ઊંચા ચૈત્યવક્ષને પ્રદક્ષિણા કરી. સમવસરણમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા.
ધર્મ સિંહાસને બેસેલા ૩૫-ધનુષુ ઊંચા કુંથુનાથ ભગવંતે વાણીના પાત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org