________________
તીર્થકર ચરિત્ર-ભશાંતિ-કથા
૧૩૯
વિવિધ ક્ષેત્રમાં વિચરણ કર્યું. અરિહંત-સિદ્ધ આદિની ભક્તિ પૂર્વક વિશ સ્થાનકની આરાધના કરવા પૂર્વક સરળ–શુભ ભાવો સહિત તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, સિંનિષ્ક્રીડિત નામનો મહાન તપ કર્યો. એક લાખ પૂર્વ તેમણે ઉગ્ર સંયમનું પાલન કર્યું. અંબરતિલક ગિરિ પર અનશન કરી કાળધર્મ પામીને સર્વાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. ત્યાં ૩૩ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું.
ભ૦ શાંતિનો જન્મ :- દેવતાના ભવથી ચ્યવીને તે મેઘરથ રાજાનો જીવ, આ જ ભરત ક્ષેત્રમાં વિપુલ ઋદ્ધિમાન, એવા હસ્તિનાપુર (જેનું બીજું નામ ગજપુર પણ છે.) નગરના પૃથ્વી પર ઇન્દ્રની જેમ શોભતા મહાન્ રાજા “વિશ્વસન"ની પત્ની ઇન્દ્રાણી સદશા એવા “અચિરા' રાણીની કુક્ષિમાં ભાદરવા વદ સાતમ (ગુજરાતી શ્રાવણ વદ–)ને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુખેથી સુતેલા એવા અચિરા માતાએ પ્રશસ્ત આકારને ધારણ કરેલા એવા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખ પ્રવેશતા જોયા. રાજાને સ્વપ્નનો અર્થ પૂછતા જાણ્યું કે, અચિરા માતા ભાવિમાં તીર્થકર અથવા ચક્રવર્તી થનારા ઉત્તમ પુત્રને જન્મ આપશે.
જ્યારે અચિરા માતાનો ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે જેઠવદ તેરશ (ગુજરાતી વૈશાખ વદ–૧૩)ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં રાત્રિના સમયે અચિરા રાણીએ સુખપૂર્વક ભશાંતિને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા તે પૂર્વે તે દેશમાં ઉદ્વેગ – મહામારી વગેરે અનેક રોગ આદિ પ્રવર્તતા હતા, શાંતિ માટે પૂજા આદિ અનેક ઉપાયો કરવા છતાં તે ઉપદ્રવો શાંત થતા ન હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેના પ્રભાવે રોગઅશિવ ઇત્યાદિ સર્વે ઉપદ્રવો શાંત થઈ ગયા. પ્રભુનો જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં મહાન્ ઉદ્યોત થયો. નારકીના જીવોને પણ ક્ષણવાર માટે સુખશાંતિનો અનુભવ થયો.
ભશાંતિનાથનો જન્મ થયાનું જાણી છપ્પન દિકકુમરી જલ્દીથી ત્યાં આવી સૂતિકર્મ આદિ કર્યું. શક્ર ઇન્દ્ર પણ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મની હકીકત જાણીને પરિવાર સહિત ત્યાં આવ્યા. પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો. (આ સર્વ વર્ણન ભગવંત ઋષભના કથાનક પ્રમાણે જાણી લેવું) યાવત્ સર્વ ઇન્દ્રો – દેવ આદિ અષ્ટાલિકા મહોત્સવ કરી પોત-પોતાના કલ્પ (દેવલોક આદિ સ્થાનોમાં) પાછા ગયા. વિશ્વસેન રાજાને દાસીએ પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તેણીને વિપુલ પ્રમાણમાં દાન આપી વિદાય કરી. રાજ્યમાં પુત્રજન્મ મહોત્સવ કર્યો.
૦ “શાંતિ” નામ કેમ? ભગવંતના જન્મ પૂર્વે ઘણો જ ઉપદ્રવ અને અશિવ હતા, પણ ભગવંતના ગર્ભમાં આવ્યા બાદ તે બધું શાંત થઈ ગયુ માટે “શાંતિ” નામ રખાયુ. બીજો અર્થ એ કે, શાંતિને કરનારા હોવાથી અથવા શાંતિ અર્પનારા હોવાથી ભગવંત “શાંતિ" નામે ઓળખાય છે.
૦ ભશાંતિનો ગૃહસ્થકાળ :- ઇન્દ્રએ પ્રભુના અંગુઠામાં સંક્રમાવેલ અમૃતને પીતા-પીતા પ્રભુ પોતાની સુધાને શાંત કરતા એવા જગત્પતિ શાંતિનાથ અદ્વિતીય રૂપ અને તેજથી વૃદ્ધિ પામવા લાગ્યા. અશ્વસેન રાજાના ગૃહરૂપી આંગણમાં સ્વામી જંગમ કલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org