SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર-ભશાંતિ-કથા ૧૩૭ (૧૬) ભશાંતિ-કથાનક (પાંચમાં ચક્રવર્તીરૂપે તથા બોલસંગ્રહયુક્ત) આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સોળમા તીર્થંકર ભગવંત શ્રી શાંતિનાથ થયા, જે બાર ચક્રવર્તીમાંના પાંચમાં ચક્રવર્તી પણ હતા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં મેઘરથ નામે માંડલીક રાજા હતા. -૦- મેઘરથ રાજાનો ભવ :- આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામની વિજયમાં પંડરીકિણી નામે એક નગરી હતી. ત્યાં ધનરથ નામે રાજા હતો. તેને પ્રીતિમતી અને મનોરમા નામે પત્નીઓ હતી. રૈવેયક વિમાનથી ચ્યવીને એક દેવ પ્રીતિમતીની કુક્ષિમાં ઉત્પન્ન થયો, તે વખતે પ્રીતિમતી રાણીએ સ્વપ્નમાં અમૃત સમાન જળ વરસાવતા મેઘને જોયો. રાણીએ સવારે રાજાને જ્યારે સ્વપ્નની વાત કરી ત્યારે રાજાએ કહ્યું કે, હૃદયમાં ઉદ્ભવેલા સંતાપને હરનાર મેઘ સમાન પુત્રને તું જન્મ આપીશ. ગર્ભકાળ પૂર્ણ થતા પ્રીતિમતી રાણીએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નદર્શન અનુસાર તેનું મેઘરથ એવું નામ પાડ્યું. પોતાની રાણીઓ સાથે ભોગ ભોગવતા ધનરથ રાજાએ ઘણો કાળ નિગર્મન કર્યો. તેમના પુત્રો પણ યુવાન થયા. તે વખતે લોકાંતિક દેવોએ આવીને ધનરથ રાજાને બોધ પમાડ્યા. (દીક્ષાના અવસરની જાણ કરી). ધનરથ રાજાએ વાર્ષિક દાન આપ્યું. મેઘરથકુમારને રાજ્ય સોંપ્યું. મનોરમા રાણીના પુત્ર દઢરથને યુવરાજ પદે સ્થાપી, દીક્ષા લીધી, કેવલજ્ઞાન પામી, ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યા. એક વખત રાજા મેઘરથ પૌષધ (વ્રત) ધારણ કરીને રહેલા હતા. તે વખતે ભયથી વ્યાકુળ બનેલ એક પારાપત (કબૂતર) તેના ખોળામાં (શરણમાં આવીને પડ્યું. મનુષ્યની ભાષામાં તે પક્ષીએ રાજા પાસે શરણું માંગ્યું. રાજાએ કહ્યું કે તું ભયભીત ન થઈશ. મારા ખોળામાં સુખેથી રહી શકી. ત્યાં એક યેન (બાજ પક્ષી) આવ્યું. રાજાને કહ્યું કે, હે દેવ ! આ મારું ભલ્ય (ખોરાક) છે, તમે તેને છોડી દો. રાજાએ કહ્યું કે, તે યેન ! હું કોઈપણ સંજોગોમાં આ પક્ષી તને નહીં આપું કેમકે ક્ષત્રિયો પોતાના શરણે આવેલાનું પ્રાણાન્ત પણ રક્ષણ કરે છે. તે વિવેકી (શ્યન) ! તારા પ્રાણને પોષવા માટે બીજાના પ્રાણ લેવા, તે તારા માટે પણ યોગ્ય નથી. જેમ તને તારું જીવન પ્રિય છે, તેમ બીજા જીવને પણ પોતાનું જીવન પ્રિય હોય છે. તેથી જેમ તું તારું રક્ષણ કરે છે તેમ બીજાનું પણ તારે રક્ષણ કરવું જોઈએ. – કદાચ આ પક્ષીનું ભક્ષણ કરવાથી ક્ષણવારને માટે તું તૃપ્તિ પામીશ, પણ આ પક્ષીના તો સર્વ પ્રાણોનો નાશ થશે. બીજાનો આહાર કરવાથી તને ઉત્પન્ન થયેલ ભુખનું દુઃખ તો ક્ષણવાર માટે જ નાશ પામશે, પણ જીવહિંસાથી પ્રાપ્ત નરકની વેદના લાંબાગાળે પણ નાશ નહીં પામે. માટે તું પ્રાણિની હિંસાનો ત્યાગ કરી ધર્મનો આશ્રય કર. જે તને આ ભવ–પરભવમાં ઉત્તમ સુખ આપશે. ત્યારે તે શ્યને પણ મનુષ્ય ભાષામાં તે મેઘરથ રાજાને કહ્યું કે, આ કબૂતરે મારાથી ભયભીત થઈને આપનું શરણ સ્વીકાર્યું છે. પણ ભુખના દુઃખથી વ્યથિત એવો હું કોનું શરણ લઉં ? જો તમે આ કબૂતરનું રક્ષણ કરો છો તો મારું પણ રક્ષણ કરો. ધર્મ-અધર્મના વિચારો તો શરીર સ્વસ્થ (ભરેલા પેટે) હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy