________________
તીર્થકર ચરિત્ર–ભ અનંત (માહિતી)
૧૩ ૩.
(૧૪) ભ.અનંત-કથાનક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ચૌદમા તીર્થંકર ભગવંત શ્રી અનંતનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં માહિદ્ નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ઍવીને તેઓ અયોધ્યા નગરીમાં સિંહસેન રાજાની પત્ની સુજસા રાણીની કુક્ષિમાં શ્રાવણવદ-સાતમ (ગુજરાતી અષાઢ વદ-૭)ના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુજસા માતા ગજવૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
વૈશાખ વદ-તેરસ (ગુજરાતી-ચૈત્ર વદ-૧૩)ને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અયોધ્યાનગરીમાં ભ અનંતનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સુજસા માતાએ અનંત (અતિ મોટા પ્રમાણમાં) રત્નોનું બનેલ દામ (કુંભ) સ્વપ્નમાં જોયેલ. તેથી પ્રભુનું અનંત નામ રખાયું. બીજો અર્થ એ કે – અનંતા કર્મોને જીત્યા હોવાથી અથવા અનંત જ્ઞાનાદિને લીધે પ્રભુ અનંત કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લાંછન યેન (સીંચાણો) પક્ષી હતું. (પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજા સિંહસેને શત્રુના અનંત બલને જીતેલ તેથી પ્રભુ અનંતજિતુ નામે પણ ઓળખાતા હતા).
ભ૦ અનંત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. પ્રભુ સાડા સાત લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૧૫ લાખ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે સાડા બાવીશ લાખ વર્ષ તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પ૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, વૈશાખ વદ ચૌદશ (ગુજરાતી ચૈત્રવદ–૧૪)ને દિવસે પંચવર્ણા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં અનંતનાથ ભગવંત અયોધ્યાનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠ તપ કર્યો હતો. તે જ દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા
લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અનંતનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વર્તમાન નગરીમાં વિજય નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. અનંતનાથ પ્રભુ ત્રણ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે અનંતનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એક રાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે વૈશાખ વદ-ચૌદશ (ગુજરાતી ચૈત્ર વદ–૧૪)ને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org