________________
૧૩૨
આગમ કથાનુયોગ-૧
વિમલનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું. તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
વિમલનાથ પ્રભુને પ૭ ગણ થયા, પ૭ ગણધર થયા. (સમવાયાંગમાં ૫૬ ગણ અને પ૬ ગણધરનો ઉલ્લેખ છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ મંદિર હતું. પ્રથમ શિષ્યાનું નામ ધરણિધરા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૮,૦૦૦, શ્રમણીઓની એક લાખ, (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, પ્રવચન સારોદ્ધાર આદિ પ્રમાણે ૧,૦૦,૦૦૦) શ્રાવકોની ૨,૦૮,૦૦૦, શ્રાવિકાઓની ૪,૨૪,૦૦૦ની હતી.
વિમલનાથ ભગવંતના શિષ્યોમાં ૪,૮૦૦ અવધિજ્ઞાની, ૫,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૫,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૧૦૦ ચૌદ પૂર્વધર, ૯,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૩,૬૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૧૫ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત બે માસ છઘસ્થરૂપે રહ્યા, તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. ૬૦ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા વિમળનાથ ભગવંત અષાઢ વદ સાતમ (ગુજરાતી જેઠવદ૭)ને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૬,૦૦૦ મુનિવરો સહિત સમેતશિખર પર્વત નિર્વાણ પામ્યા. યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
વિમલનાથ પ્રભુના નિર્વાણ બાદ નવ સાગરોપમનો કાળ વીત્યા બાદ ચૌદમા તીર્થકર અનંતનાથ પ્રભુ થયા.
- ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર “સિંહસેન ભવિમલનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૬, ૫૧૪; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૩૪, ૧૩૮, ૨૬૦ થી ૩૧૧ મધ્યે. ભગ. ૭૯૪;
આવ મૂ. ૪ થી ૬; આવનિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૦, ૧૦૮૬; આવયૂ ૧–પૃ. ૧૫૭, ૨૧૭;
આવ.મ. ૨૦૮ થી ૨૧૪, ૨૩૭ થી– નંદી. ૧૮;
તિલ્યો. ૩૨૫, ૩૨૬, ૩૪૦, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૭૬; કલ્પ. ૧૭૮;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org