________________
તીર્થકર ચરિત્ર–ભવિમલ (માહિતી)
૧૩૧
(૧૩) ભવિમલ કથાનક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબૂતીપના ભરતક્ષેત્રમાં તેરમા તીર્થંકર ભગવંત શ્રી વિમલનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુંદર નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને સહસ્ત્રાર દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાં ૧૮ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું.
દેવતાના ભાવથી ઍવીને તેઓ કંપિલ્લપુર–નગરીમાં કૃતવર્મા રાજાની પત્ની શ્યામા રાણીની કુલિમાં વૈશાખ સુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે શ્યામામાતા ગજ–વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. (આવશ્યક નિર્યુક્તિ-૩૮૫માં માતાનું નામ “મા” લખ્યું છે).
મહાસુદ ત્રીજને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કંપિલપુર–નગરમાં ભવિમલનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શ્યામામાતાની બુદ્ધિ અને શરીર અતીવ વિમલ (નિર્મલ) થયા. તેથી પ્રભુનું “વિમલ” નામ રખાયું. બીજો અર્થ એ કે, “જેમનામાંથી મળ ચાલ્યો ગયો છે તેવા અથવા જેના જ્ઞાનાદિ વિમલ છે તેવા અથવા જ્ઞાન, દર્શન, શરીરના વિમલપણાથી તેઓ વિમલ કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન વરાહ (સુવર) હતું.
ભ, વિમલ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ પંદર લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ત્રીસ લાખ વર્ષ માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૪૫ લાખ વર્ષ તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૬૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ ચોથના દિવસે સુપ્રભા (વિમલા) શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં વિમલનાથ ભગવંત કંપિલપુર નગરથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. પ્રભુએ છઠનો તપ કરેલો. તે જ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજા જ દિવસે શ્રી વિમલનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. ધાન્યકૂટ નગરીમાં જય નામના ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી, ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. વિમલનાથ પ્રભુ બે માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો.
તે કાળે વિમલનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ છઠના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે કંપિલ્લપુર નગરથી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં જંબૂ નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વિમલનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૭૨૦ ધનુષુ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ
પ્રવર્તન થયેલ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org