SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. આગમ કથાનુયોગ-૧ રાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે મહાસુદ બીજને દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય સમયે શતભિષા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ચંપાનગરીથી બહાર વિહારગ્રહ-ઉદ્યાનમાં પાલવૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વાસુપૂજ્ય સ્વામીના સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષ ૮૪૦ ધનુષ ઊંયુ હતું. કેવલજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન થયેલ. 1 વાસુપૂજ્ય સ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. વાસુપૂજ્ય સ્વામીને ૬૬ ગણ થયા. ૬૬ ગણધર થયા. (સમવાયાંગ અને તિર્થોદ્દગાલિત અનુસાર ૬ર ગણ અને ૬ર ગણધરનો ઉલ્લેખ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ સુહમ હતું. પ્રથમ શિષ્યાનું નામ ધરણી હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૭૨,૦૦૦, શ્રમણીઓની ૧,૦૩,૦૦૦ (હારિભકીયવૃત્તિ ટીપ્પણક આદિમાં એક લાખ સંખ્યા છે.) શ્રાવકોની ૨,૧૫,૦૦૦, શ્રાવિકાઓની ૪,૩૬,૦૦૦ની હતી. વાસુપૂજ્ય સ્વામીના શિષ્યોમાં ૫,૪૦૦ અવધિજ્ઞાની, ૬,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૬,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૨૦૦ ચૌદ પૂર્વધર, ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૪,૭૦૦ વાદમુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ચોપન લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ફક્ત એક માસ છગ્ગસ્થ રૂપે રહ્યા. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. બોંતેર લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કર્યું. અષાઢ સુદ ચૌદશના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ૬૦૦ મુનિવરો સહિત ચંપાનગરીએ નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ બાદ ૩૦ સાગરોપમનો કાળ વીત્યા બાદ તેરમા તીર્થકર શ્રી વિમલનાથ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪, ૫૭૧; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૪૭, ૧૪૮, ૨૬૦ થી ૩૧૧ મધ્યે. ભગ ૭૯૪; આવ મૂ૪ થી ૬ આવનિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩ર૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૫, આવયૂ.૧–પૂ. ૧૫૭ થી ર૧૭; આવ.મ.પૃ. ૨૦૪ થી ૨૧૪; નંદી. ૧૮; | તિત્વો. ૩૨૫, ૩૪૨, ૩૬૨, ૩૯૨, ૪૪૯, ૪૫૯, ૪૭૫; કલ્પ ૧૭૯; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy