SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર-ભવાસુપૂજ્ય (માહિતી) ૧૨૯ (૧૨) ભવાસુપૂજ્ય કથાનક :- (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બારમા તીર્થંકર ભગવંત શ્રી વાસુપૂજ્યસ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં ઇન્દ્રદત્ત નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે ભવે જ તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવતા રૂપે ઉત્પન્ન થયા. ત્યાં વસ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ ચંપાપુરી નગરીમાં વપૂજ્યરાજાની પત્ની જયારાણીની કુલિમાં જેઠ સુદ નોમના દિવસે શતભિષા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે જયા માતા ગજ વૃષભ આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગ્યા. ફાગણ વદ ચૌદશ (ગુજરાતી મહાવદ-૧૪)ને દિવસે શતભિષા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ચંપાપુરી નગરીમાં ભવાસુપૂજ્યનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા. ત્યારે વાસવ નામક દેવરાજ જયામાતાની વારંવાર પૂજા કરતા હતા માટે તેનું નામ વાસુપૂજ્ય રખાયું અથવા વૈશ્રમણ દેવ તે રાજકૂળને ગર્ભના પ્રભાવે વારંવાર વસૂ અર્થાત્ રત્નો વડે પૂરતો હતો તેથી વાસુપૂજ્ય નામ પાડ્યું. બીજો અર્થ એ કે – વસૂ અર્થાત્ દેવ. બધાં તીર્થકરો ઇન્દ્રાદિ દેવો માટે પૂજ્ય હોવાથી તે વાસુપૂજ્ય કહેવા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ રાતો (લાલ) હતો. તેમનું લાંછન મહિષ (પાડો) હતું. ભવાસુપૂજ્ય બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેઓએ લગ્ન ન કર્યા. (આવશ્યક નિર્યુક્તિ રર૧, રરરમાં લગ્ન ન કર્યાનું જણાવેલ છે. ત્રિષષ્ઠી શલાકા. ગ્રંથનો પણ આ જ અભિપ્રાય છે. સાસતિ શતસ્થાનક આદિ અન્ય ગ્રંથોમાં લગ્ન થયાની વાત પણ આવે છે.) પ્રભુએ રાજાપણું પણ ભોગવેલ ન હતું. (તેથી જ આવશ્યક નિર્યુક્તિમાં પણ બીજા તીર્થકર માટે કુમારવાસ અને રજ શબ્દ વાપર્યા પણ અહીં ગિહવાસ શબ્દ લખ્યો. તેથી ભવાસુપૂજ્યની કુમાર અને રાજ્યાવસ્થાને બદલે ફક્ત ગૃહવાસનો કાળ જ નોંધાયો છે.) પ્રભુ અઢાર લાખ વર્ષ ગૃહસ્થપણે રહ્યા પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. તેમની ઊંચાઈ ૭૦ ધનુષ હતી. વિષય અને રાજ્યને ભોગવ્યા વિના જ ફાગણ વદ અમાસ (ગુજરાતી મહાવદ અમાસ)ને દિવસે અગ્રિપ્રભા નામક શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં વાસુપૂજ્ય ભગવંત ચંપાપુરીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની યૌવન વય હતી. તેમણે ચોથભક્ત (એક ઉપવાસ)નો તપ કર્યો હતો. તે જ દિવસે શતભિષા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો. ત્યારે વિહારગ્રહ નામના ઉદ્યાનમાં પ્રભુએ ૬૦૦ પુરુષ સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી વાસુપૂજ્ય સ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. મહાપુરનગરીમાં સુનંદ ગાથાપતિએ પરમાત્ર વહોરાવી-ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. વાસુપૂજ્ય સ્વામી એક માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. તે કાળે વાસુપૂજ્ય સ્વામીએ ચોથભક્ત (એક ઉપવાસ) તપ કર્યો હતો. એક International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy