________________
૧૨૮
આગમ કથાનુયોગ-૧
કરેલી. ત્યારે મહાવદ અમાસ (ગુજરાતી પોષવદ અમાસ)ના પ્રાત:કાળે સૂર્યોદય સમયે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સિંહપુરનગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં હિંદુક નામના વૃક્ષની નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેયાંસનાથ પ્રભુના સમવસરણ, મધ્યે રચાયેલ ચૈત્યવૃત ૯૬ ધનુષ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયું.
શ્રેયાંસનાથ પ્રભુએ ચાતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધમપદેશ સુગમ હતો.
શ્રેયાંસનાથ પ્રભુને ૭૨ ગણ થયા. ૭ર ગણધર થયા. (સમવાયાંગ અનુસાર ૬૬ ગણ અને ૬૬ ગણધર, તિર્થોલ્ગારિત મુજબ તે ૭૭–૭૭ થયા પ્રવચન સારોદ્વાર સમવાયાંગવૃત્તિ તથા ત્રિષષ્ઠીમાં આ સંખ્યા ૭૬ છે) તેમના પ્રથમ શિષ્યનું નામ ગૌસ્તુભ હતુ. પ્રથમ શિષ્યાનું નામ ધારિણી હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૮૪,૦૦૦, શ્રમણીઓની ૧,૦૬,૦૦૦, (હારિભકીયવૃત્તિ ટીપ્પણકમાં ૧,૦૩,૦૦૦ સંખ્યા બતાવે છે) શ્રાવકોની ૨,૭૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૪૮,૦૦૦ની હતી.
શ્રેયાંસનાથ ભગવંતના શિષ્યોમાં ૬,૦૦૦ અવધિજ્ઞાની, ૬,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૬,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૩૦૦ ચૌદ પૂર્વધર, ૧૧,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૫,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૨૧ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યાં. તેમાં ફક્ત બે માસ છદ્મસ્થપણે રહ્યા. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. ૮૪ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલ એવા શ્રેયાંસનાથ ભગવંત શ્રાવણ વદ–ત્રીજ (ગુજરાતી અષાઢ વદ–૩)ના દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧૦૦૦ મુનિવરો સહિત સમેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ બાદ ૫૪ સાગરોપમનો કાળ વીત્યા બાદ બારમા તીર્થકર વાસુપૂજ્ય સ્વામી થયા.
- ઐરવત ક્ષેત્રમાં તીર્થકર “જુત્તિસેન” ભશ્રેયાંસનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪ સમ ૪૯, ૫૩, ૨૪, ૧૪૪, ૧૫૯, ૧૬૩, ૨૬૦ થી ૩૧૧; સમાં ૬૬ ની વૃ. આવ.મૂ. ૪ થી ૬;
ભગ૭૯૪; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૫; આવ.યૂ. ૧–પૃ. ૧૫૭ થી ૨૧૭, આવ.મ. ૨૦૮-૨૧૪, ૨૩૭–૨૩૯, ર૬૭; નંદી. ૧૮;
તિલ્યો. ૩ર૪, ૩૪૪, ૩૯૪, ૪૦૬, ૪૪૮, ૪૪૯, ૪૫૮, ૪૭૪; કલ્પ ૧૮૦;
– ૪
– ૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org