________________
તીર્થકર ચરિત્ર-ભશ્રેયાંસ (માહિતી)
૧૨૭
(૧૧) ભ. શ્રેયાંસ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં અગીયારમાં તીર્થકર ભગવંત શ્રી શ્રેયાંસનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં દિન્ન નામે માંડલિક રાજા હતો. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને અમ્રુત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. (ત્રિષષ્ઠીમાં મહાશુક્ર કલ્પ ગયાનું નોંધે છે.) ત્યાં ૨૧ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચ્યવીને પ્રભુ સિંહપુર નગરીમાં વિષ્ણુરાજાની પત્ની વિષ્ણુ રાણીની કુક્ષિમાં જેઠ વદ છઠ (ગુજરાતી વૈશાખ વદ–૬)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે વિષ્ણુ માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
ફાગણ વદ બારસ (ગુજરાતી મહાવદ–૧૨)ને દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે સિંહપુરનગરીમાં ભ૦શ્રેયાંસનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા વિષ્ણુ રાજા પરંપરાથી દેવતા પરિગૃહિત એવી શય્યાની પૂજા કરતા હતા. જે તેનું ઉલ્લંઘન કરે તેને દેવતા ઉપસર્ગ કરતા હતા. ભગવંત ગર્ભમાં આવ્યા. ત્યારે વિષ્ણુમાતાને એવી ઈચ્છા થઈ કે તે શય્યામાં બેસી અતિક્રમણ કરવું. દેવતાઓએ પણ ભગવંતના પ્રભાવે તેમ થવા દીધું. ગર્ભના પ્રભાવથી જ શ્રેય પ્રાપ્ત થયો. તેથી પ્રભુનું શ્રેયાંસ એવું નામ રખાયું. બીજો અર્થ એ કે – સર્વ ત્રિલોકમાં શ્રેયના કરનારા હોવાથી તેઓ શ્રેયાંસ નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન ખગ હતું.
ભશ્રેયાંસ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૪૨ લાખ વર્ષ માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૬૩ લાખ વર્ષ પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. એંશી ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, ફાગણ વદ તેરસ (ગુજરાતી મહાવદ-૧૩)ના દિવસે સૂરપ્રભા નામની શિબિકામાં બેસીને, દિવસના પહેલા પ્રહરમાં (પૂર્વાહ્નકાળ) શ્રેયાંસનાથ ભગવંત સિંહપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી અવસ્થા હતી. પ્રભુએ છઠનો તપ કરેલો. તે જ દિવસે શ્રવણનક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શ્રેયાંસનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલ. સિદ્ધાર્થપુર નગરમાં પૂર્ણનંદ (નંદ) ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી-ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલું. શ્રેયાંસનાથ પ્રભુ બે માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો. ઉગ્ર તપ કર્યો.
તે કાળે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાંત્રિકી પ્રતિમા વહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org