________________
૧૨૬
આગમ કથાનુયોગ-૧
સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષ ૧૦૮૦ ધનુષ ઊંચુ હતું કેવળ જ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં ચતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
શીતલનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયીક રૂપ ચારિત્ર જ હતું. (એદીપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો.
શીતલનાથ પ્રભુને ૮૧–ગણ થયા, ૮૧–ગણધર થયા. (સમવાયમાં ૮૩ ગણ અને ૮૩ ગણધર કહ્યા છે, તેમના પ્રથમ શિષ્યનું નામ આનંદ હતું. પ્રથમ શિષ્યાનું નામ સુલતા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની એક લાખ, શ્રમણીઓની ૧,૨૦,૦૦૦ (હારિભદ્રીય વૃત્તિ ટીપ્પણક પ્રવચન સારોદ્વાર તથા ત્રિષષ્ઠીમાં ૧,૬૦,૦૦૦ કહે છે) શ્રાવકોની ૨,૮૯,૦૦૦, શ્રાવિકાઓની ૪,૫૮,૦૦૦ની હતી.
શીતલનાથ ભગવંતના શિષ્યોમાં ૭,૨૦૦ અવધિજ્ઞાની, ૭,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૭,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૪૦૦ ચૌદપૂર્વધર, ૫,૮૦૦ વાદીમુનિ, ૧૨,૦૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૨૫,૦૦૦ પૂર્વ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ફક્ત ત્રણ માસનો છઘસ્થ પર્યાય હતો. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. એક લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા શીતલનાથ ભગવંત વૈશાખ વદ બીજ (ગુજરાતી ચૈત્ર વદી–૨)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમ્મતશિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
-શીતલનાથ પ્રભુના નિર્વાણ બાદ એક કરોડ સાગરોપમમાં એકસો સાગરોપમ અને ૬૬,૨૬,૦૦૦ વર્ષ બાદ કરતા જે સમય પ્રાપ્ત થાય તેટલા કાળે અગીયારમાં તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુ થયા.
- ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર “સત્યકી” ભ...શીતલનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૬, ૫૧૪; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૫૩, ૧૬૨, ૧૬૯, ૨૬૦ થી ૩૧૧; ભગ. ૭૯૪;
આવયૂ ૪ થી ૬; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૪; આવ યૂ. ૧–પૃ. ૧૫૭ થી ૨૧૭
આવમ ૨૦૬–૨૧૪, ૨૩૭–૨૪૩; નંદી. ૧૮; તિલ્યો. ૩૨૩, ૩૪૨, ૩૬૨, ૩૯૨, ૪૦૬, ૪૪૭, ૪૪૮, ૪૫૯, ૪૭૩; કલ્પ ૧૮૧;
—
—
—
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org