________________
૧૨૨
આગમ કથાનુયોગ-૧
ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૧,૮૦૦ ધનુષ હતી. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થપ્રવર્તન થયેલ.
ચંદ્રપ્રભસ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુ સાધ્વીજીઓમાં સુઆખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો તેઓનો માટે સુગમ હતો.
ચંદ્રપ્રભસ્વામીને ૯૩ ગણ થયા, ૯૩ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ દિન્ન હતું. પ્રથમ શિષ્યાનું નામ સુમના હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની અઢી લાખ, શ્રમણીઓની ૩,૮૦,૦૦૦, શ્રાવકોની ૨,૫૦,૦૦૦, શ્રાવિકાઓની ૪,૯૧,૦૦૦ની હતી.
ચંદ્રપ્રભસ્વામીના શિષ્યોમાં ૮,૦૦૦ અવધિજ્ઞાની, ૮,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૧૦,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૦૦૦ ચૌદ પૂર્વધર, ૭,૬૦૦ વાદીમુનિ અને ૧૪,૦૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૨૪ પૂર્વાગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત ત્રણ મહિનાનો છઘWકાળ હતો. તે સિવાયનો કાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. દશ લાખ પૂર્વનું કુલ આય ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા ચંદ્રપ્રભસ્વામી ભાદરવા વદ સાતમ (ગુજરાતી શ્રાવણ વદ–૭)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
ચંદ્રપ્રભસ્વામીના નિર્વાણ બાદ નેવું કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ નવમાં તીર્થકર સુવિધિનાથ થયા.
- ચંદ્રપ્રભસ્વામી“શશિ" નામે પણ ઓળખાય છે. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪, ૯૩૦; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૭૨, ૧૮૦, ૨૬૩ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪;
આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૩, આવ.યૂ.૧– ૧૫૭ થી ૨૧૭;
નંદી. ૧૮; તિત્વો. ૩૨૧, ૩૪૨, ૩૬૨, ૩૯૧, ૪૦૫, ૪૪૭, ૪૫૮;
કલ્પ ૧૮૩;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org