________________
૧૨૧
તીર્થંકર ચરિત્ર–ભચંદ્રપ્રભ (માહિતી) (૮) ભ.ચંદ્રપ્રભ કથાનક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આઠમા તીર્થંકર ભગવંત શ્રી ચંદ્રપ્રભ થયા. તેઓ પૂના મનુષ્યભવમાં દીર્ઘબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા (ત્રિષષ્ઠી માં વૈજયંતનો ઉલ્લેખ છે) ત્યાં ૩૧ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચ્યવીને તેઓ ચંદ્રપુર નગરીમાં મહુસેન રાજાની પત્ની લક્ષ્મણા રાણીની કુક્ષિમાં ચૈત્ર વદ પાંચમ (ગુજરાતી ફાગણ વદ-૫)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મણા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
પોષ વદ બારસ (ગુજરાતી માગસર વદ-૧૨)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ચંદ્રપુર નગરીમાં ભચંદ્રપ્રભાનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચંદ્રનું પાન કરવાની ઈચ્છા થયેલી, વળી પ્રભુનો વર્ણ પણ ચંદ્રની પ્રભા સમાન હતો. તેથી તેમનું ચંદ્રપ્રભ એવું નામ પડાયું. બીજો અર્થ એ કે, “ચંદ્રના જેવી જેમની પ્રભા અર્થાત્ સૌમ્ય જ્યોત્સા છે તે” – એ અર્થમાં ચંદ્રપ્રભ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ શ્વેત (ગૌર–ચંદ્ર સમાન) હતો. તેનું લાંછન ચંદ્ર હતું.
ભચંદ્રપ્રભ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ અઢી લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂવગ વર્ષ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે નવ લાખ પૂર્વ અને ચોવીશ પૂવગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૫૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, પોષ વદ તેરસ (ગુજરાતી માગસર વદ–૧૩)ને દિવસે અપરાજિતા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં ચંદ્રપ્રભ સ્વામી ચંદ્રપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. છઠ તપ કરેલ. તે જ દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. પદ્મખંડ નગરના સોમદત્તે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કરેલું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. ચંદ્રપ્રભસ્વામી ત્રણ મહિના છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો
તે કાળે ચંદ્રપ્રભસ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ સાતમ (ગુજરાતી મહાવદ-૭)ના પ્રાત:કાળે સૂર્યોદય સમયે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ચંદ્રપુર નગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં નાગ (પુત્રાગ) નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org