________________
૧૨૦
આગમ કથાનુયોગ-૧
ઊંચાઈ એક ગાઉ અને ૪૦૦ ધનુષ હતી. પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
સુપાર્શ્વનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનમાં સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મઉપદેશ તેઓને માટે સુગમ હતો.
સુપાર્શ્વનાથ પ્રભુને ૫ ગણ થયા. ૯૫ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ વિદર્ભ હતું. પ્રથમ શિષ્યાનું નામ સોમા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ત્રણ લાખ, શ્રમણીઓની ૪,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૫૭,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૯૩,૦૦૦ની હતી.
સુપાર્શ્વનાથ ભગવંતના શિષ્યોમાં ૯,૦૦૦ અવધિજ્ઞાની ૯,૧૫૦ મન:પર્યવજ્ઞાની, ૧૧,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૦૩૦ ચૌદ પૂર્વધર, ૮,૬૦૦ (બીજા મતે ૮,૪૦૦) વાદી મુનિ, ૧૫,૩૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ વીસ પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં માત્ર નવ માસ છઘWકાળ હતો. બાકીનો શ્રમણ પર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. વીસ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુપાર્શ્વનાથ ભગવંત ફાગણ વદ સાતમ (ગુજરાતી મહાવદ-૭)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ૦૦ મુનિવરો સહિત, સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ બાદ ૯૦૦ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામી થયા.
ઐરવત ક્ષેત્રમાં તીર્થકર “સોમચંદ" ભસુપાર્શ્વનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૫૧૪; સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૯૫, ૧૭૪, ૧૮૧, ૨૬૩ થી ૩૧૧ મળે; ભગ ૭૯૪;
આવ ૪ થી ૬; આવ નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે, ૧૦૮૩; આવયૂ.૧–૫ ૧૫૭ થી ૨૧૭; આવ.મ.પૃ. ૨૦૬, ૨૦૮-૨૧૪, ૨૩૭–૨૪3;
નંદી. ૧૮; તિલ્યો. ૩૨૦, ૩૪૦, ૩૬૨, ૪૦૫, ૪૪૬, ૪૨૦, ૪૭૦;
કલ્પ ૧૮૪;
–
૪
–
૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org