________________
૧૧૮
આગમ કથાનુયોગ-૧
દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
પદ્મપ્રભુસ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું. તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે જિનકથિત ધર્મોપદેશ તેઓને માટે સુગમ હતો.
- પાપ્રભ સ્વામીને ૧૦૭ ગણ થયા, ૧૦૭ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ સુવ્રત હતું અને પ્રથમ શિષ્યાનું નામ રતિ હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા–શ્રમણોની ૩,૩૦,૦૦૦, શ્રમણીઓની ૪, ૨૦,૦૦૦, શ્રાવકોની ૨,૭૬,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૦૫,૦૦૦ની હતી.
પપ્રભ સ્વામીના શિષ્યોમાં ૧૦,૦૦૦ અવધિજ્ઞાની, ૧૦,૩૦૦ મન:પર્યવજ્ઞાની. ૧૨,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૩૦૦ ચૌદ પૂર્વધર, ૯,૬૦૦ વાદીમુનિ અને ૧૬,૧૦૮ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ૧૬ પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત છ માસનો છઘસ્થ કાળ હતો. બાકીનો શ્રમણપર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. ૩૦ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા પદ્મપ્રભુસ્વામી માગસર વદ અગીયારસ (ગુજરાતી કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૩૨૪ મુનિવરો સાથે નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
પપ્રભસ્વામીના નિર્વાણ બાદ નવ હજાર કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ થયા.
પદ્મપ્રભ ભગવંતનો “પદ્માભ” અને સુપ્રભ નામે પણ ઉલ્લેખ જોવા મળેલ છે. (જુઓ આવશ્યક નિર્યુક્તિ ૨૪૩ અને ૩૭૦)
આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૫, ૪૪૬ ૫૧૪; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૮૨, ૨૬૩ થી ૩૧૧ મળે; ભગ ૭૯૪;
આવ.મૂ. ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૨; આવ યૂ. ૧–૧૫૭ થી ૨૧૭; આવામ.. ૨૦૬ થી, નદી. ૧૮; તિલ્યો. ૩૧૯, ૩૪૧, ૩૯૨, ૩૯૧, ૪૦૫, ૪૪૫, ૪૪૬, ૪૬૯, ૧૧૫૦ (મૂ. ૪૪૬માં ૧૦૧ ગણધર નોંધ્યા છે.
કલ્પ. ૧૮૫;
-
૪
—
—
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org