SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્ર-ભપાપ્રભ (માહિતી) (૬) ભ, પદ્મપ્રભ કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોથા તીર્થંકર ભગવંત પદ્મપ્રભ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવે ધર્મમિત્ર નામે માંડલિક રાજા હતા. તે ભવે દીક્ષા લીધી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને નવમા સૈવેયક વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૧ સાગરોપમ દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ઍવીને તેઓ કૌશાંબી નગરીમાં ધર રાજાની પત્ની સુશીમા રાણીની કુક્ષિમાં મહાવદ છઠ (ગુજરાતી પોષવદ–૬)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુશીમાં માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. - કારતક વદ બારશ (ગુજરાતી આસોવદ–૧૨)ને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કૌશાંબીનગરીમાં ભપદ્મપ્રભુનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મ (કમળ)ની શય્યામાં શયન કરવાની ઈચ્છા થયેલી. દેવતાએ તેને માટે પાની શય્યા બનાવી. ભગવંત પણ પદ્મ વર્ણના હતા. તેથી તેમનું નામ પદ્મપ્રભ રખાયું. સામાન્યથી બીજો અર્થ કર્યો કે નિષ્પકતાને આશ્રિને પદ્મના જેવી પ્રભા તેમની હોવાથી પપ્રભ નામ પાડેલ હતું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ લાલ (રાત) હતો. તેમનું લાંછન કમળ હતું. ભ૦પપ્રભ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા. સાડા એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ માંડલીક રાજા રૂપે તેમણે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણત્રીસ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૨૫૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, કારતક વદ તેરશ (ગુજરાતી આસોવદ-૧૩)ના દિવસે વૈજયંતી નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં પત્તપ્રભ સ્વામી કૌશાંબી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સંભવનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. બંસ્થલ નગરીમાં સોમદેવ નામના ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. પાપ્રભુ સ્વામી છ માસ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે પદ્મપ્રભુસ્વામીએ છટ્ઠનો તપ કરેલો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્રસુદ પૂનમના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો. ત્યારે કૌશાંબી નગરીથી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં છત્રાભવૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમવસરણ મધ્યે રચેલા ચૈત્યવૃક્ષની ઊંચાઈ દોઢ ગાઉની હતી. પ્રભુના કેવળજ્ઞાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy