________________
આગમ કથાનુયોગ-૧
અને ૧,૬૦૦ ધનુષ હતી. પ્રભુના કેવળ જ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
૧૧૬
સુમતિનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુ– સાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તે સાધુ–સાધ્વીજીઓને ધર્મોપદેશ સુગમ હતો.
સુમતિનાથ પ્રભુને ૧૦૦ ગણ થયા. ૧૦૦ ગણધર થયા. તિર્થોગાલિતમાં ૧૧૬ ગણ—ગણધર કહ્યા છે. તેમના પ્રથમ શિષ્યનું નામ ચમર હતું. પ્રથમ શિષ્યાનું નામ કાશ્યપી હતું. તેઓને ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૩,૨૦,૦૦૦, શ્રમણીઓની ૫,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૮૧,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૧૬,૦૦૦ની હતી.
સુમતિનાથ ભગવંતના શિષ્યોમાં ૧૧,૦૦૦ અવધિજ્ઞાની, ૧૦,૪૫૦ મનઃપર્યવજ્ઞાની, ૧૩,૦૦૦ કેવલી મુનિ, ૨,૪૦૦ ચૌદ પૂર્વધર, ૧૦,૪૫૦ વાદીમુનિ અને ૧૮,૪૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ બાર પૂર્વાંગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં વીસ વર્ષનો છદ્મસ્થકાળ હતો. શેષકાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. ચાલીશ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુમતિનાથ ભગવંત ચૈત્રસુદ—નોમના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે એક હજાર મુનિવરો સહિત સમ્મેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સુમતિનાથ પ્રભુના નિર્વાણ બાદ નેવું હજાર કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ સ્વામી થયા.
ઐરવત ક્ષેત્રમાં તીર્થંકર “ઇસિદત્ત' ભ૰સુમતિનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ :
=
ઠા. ૧૧૬, ૫૧૪, ૮૦૩;
ભગ ૭૯૪;
આવ.મૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩, આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૧; આવયૂ. ૧-૫ ૧૫૭ થી ૨૧૭; નંદી. ૧૮;
સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૮૩, ૨૬૩ થી ૩૧૧ મધ્યે; જિત.ભા. ૩૧૮;
તિત્વો ૩૬૧, ૪૦૫, ૪૪૩, ૪૪૫, ૪૫૭, ૪૬૮;
Jain Education International
આવમ! ૨૦૪-૨૧૪, ૨૩૭–૨૪૩; કલ્પ ૧૮૬;
- — * -
For Private & Personal Use Only
www.jainelibrary.org