________________
તીર્થકર ચરિત્રભસુમતિ (માહિતી)
૧૧૫ (૫) ભ. સુમતિ કથાનક (બોલ સંગ્રહ રૂપે).
આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચમાં તીર્થકર ભગવંત શ્રી સુમતિનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુમિત્ર નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં બત્રીશ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠીમાં પૂર્વભવનું નામ પુરુષસિંહ જણાવેલ છે.)
દેવતાના ભવથી ચ્યવીને તેઓ કૌશલ્યા (કૌશલપુર–અયોધ્યા) નગરીમાં મેઘરાજાની પત્ની મંગલારાણીની કુલિમાં શ્રાવણ સુદ બીજના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે મંગલા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
વૈશાખ સુદ આઠમને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કૌશલ્યા નગરીમાં ભસુમતિનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતા સર્વ પ્રકારે વિનિશ્ચય યુક્ત અતિ મતિ સંપન્ન થયા. બે શૌક્યમાં પુત્ર કોનો તેનો યોગ્ય નિર્ણય મંગલામાતાએ ગર્ભ પ્રભાવે કર્યો. તેની આવી સમ્યક્ મતિ જોઈને પુત્રનું નામ સુમતિ રખાયું. બીજો અર્થ એ કે તેની શોભન એવી મતિ હોવાથી સુમતિ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેનું લાંછન ક્રૌંચ પક્ષી હતું.
ભસુમતિ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ દશ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વગ વર્ષ સુધી તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણચાલીશ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાર પછી ૩૦૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, વૈશાખ સુદ નોમને દિવસે વિજયા નામની શિબિકામાં બેસીને, દિવસના પહેલા પ્રહરમાં સુમતિનાથ ભગવંત કૌશલ્યા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેઓ નિત્ય ભોજનથી (અનવરત ભર્તન) નીકળેલા. તે જ દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુમતિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વિજયપુર નગરમાં પદ્મ નામના ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુમતિનાથ પ્રભુ વીસ વર્ષ છઘDઅવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો..
તે કાળે સુમતિનાથ પ્રભુએ છઠનો તપ કરેલો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્ર સુદ-અગિયારસના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે મઘા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે કૌશલ્યા નગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રિયંગુ નામના વૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ એક ગાઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org