________________
૧૧૪
આગમ કથાનુયોગ-૧
સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ.
અભિનંદન સ્વામીએ ચાતુર્યામ-ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું.) તેમના શાસનના સાધુ-સાધ્વીજીઓમાં સુઆઑયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણા હોવાને લીધે તેઓને માટે ધર્મોપદેશ સુગમ થતો હતો.
અભિનંદન સ્વામીને ૧૧૬ ગણ થયા, ૧૧૬ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ વજનાભ હતું. પ્રથમ શિષ્યાનું નામ અજિતા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ત્રણ લાખ, શ્રમણીઓની ૬,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૮૮,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૨૭,૦૦૦ની હતી.
અભિનંદન સ્વામીના શિષ્યોમાં ૯,૮૦૦ અવધિજ્ઞાની, ૧૧,૬૫૦ મન:પર્યવજ્ઞાની, ૧૪,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૫૦૦ ચૌદ પૂર્વધર, ૧૧,૦૦૦ વાદીમુનિ અને ૧૯,૦૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ આઠ પૂર્વાગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ૧૮ વર્ષનો છઘર્થીકાળ હતો. તે સિવાયનો કાળ કેવલી પર્યાય રૂપે વ્યતીત કર્યો. પચાસ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા અભિનંદન સ્વામી વૈશાખ સુદ આઠમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમેતશિખર પર્વત નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા.
અભિનંદન સ્વામીના નિર્વાણ બાદ નવ લાખ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી થયા.
આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૫૧૪, ૮૦૩, ૯૨૧, સમ ૪૯, ૫૩, ૨૪, ૧૮૪, ૨૬૩ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪;
આવયૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૦; આવ યૂ. ૧–પૃ. ૧૫૭ થી, ર૧૭, નંદી. ૧૮;
તિલ્યો. ૩૩૬, ૩૯૧, ૪૦૫, ૪૪૪, ૪૪૫, ૪૫૭, ૪૬૭; (* તિથો ૪૪૪માં ગણધર સંખ્યા ૧૦૩ નોંધી છે)
કલ્પ. ૧૮૭;
– ૮
–
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org