________________
તીર્થકર ચરિત્ર–ભસંભવ–(માહિતી)
(3) ભ સંભવ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે).
આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ત્રીજા તીર્થકર ભગવંત શ્રી સંભવનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં વિમલવાહન નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને સાતમાં ચૈવેયક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૨૯ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રીષષ્ઠી શલાકાતમાં આનત નામે નવમો દેવલોક કહ્યો છે.)
દેવતાના ભાવથી ઍવીને તેઓ શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાની પત્ની સેના રાણીની કુલિમાં ફાગણ સુદ આઠમના દિવસે મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સેનામાતાએ ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોયા.
મૃગશીર્ષ સુદ ચૌદશને દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શ્રાવસ્તી નગરીમાં ભસંભવનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શસ્ય (એક ધાન્ય)ની અત્યધિક ઉત્પત્તિ (સંભવી) થઈ. તેથી તેમનું સંભવ એવું નામ પડાયું. બીજો અર્થ એ કે – તેમનામાં ચોત્રીશ અતિશય ગુણો પ્રકર્ષથી સંભવતા હતા. માટે તેનું સંભવ નામ રાખ્યું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન અશ્વ (ઘોડો) હતું.
ભસંભવ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ પંદર લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. ૪૪ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષ તેમણે માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૫૯ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાય સૂત્ર. ૧૩૭માં ૫૯ લાખ પૂર્વનો ગૃહસ્થ પર્યાય જણાવેલ છે. ૪૦૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, માગસર સુદી પૂનમને દિવસે સિદ્ધાર્થી નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં સંભવનાથ ભગવંત શ્રાવસ્તીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્ર વન-ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સંભવનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. શ્રાવસ્તી નગરીમાં જ સુરેન્દ્રદત્ત નામના ગૃહસ્થ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી. ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સંભવનાથ પ્રભુ ચૌદ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે સંભવનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે કારતક વદ પંચમી (ગુજરાતી આસો વદ–૫)ના પ્રાતઃ કાળે સૂર્યોદય સમયે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે શ્રાવસ્તીના, સહસ્ત્રાપ્રવન, ઉદ્યાનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સંભવનાથ પ્રભુના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે કોશ અને ૮૦૦ ધનુષ હતી. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org