________________
તીર્થંકર ચરિત્ર—ભઅજિત—(માહિતી)
(૨) ભ અજિત કથાનક - (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં વિમલ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી - અગિયાર અંગનો અભ્યાસ કર્યો – તે ભવે તીર્થંકર નામ કર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામે અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં એકત્રીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠી શલાકા.માં ૩૩ સાગરોપમ આયુ કહે છે.)
દેવતાના ભવથી ચ્યવીને તેઓ અયોધ્યા નગરીમાં જિતશત્રુ રાજાની ભાર્યા વિજયા રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ-૧૩ના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે વખતે વિજયા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
૧૦૯
મહાસુદી આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે અયોધ્યા નગરીમાં ભ૰અજિતનો જન્મ થયો. ભગવંતના માતા-પિતાએ કહ્યું કે, પહેલા અમે દ્યૂત રમતા હતા ત્યારે હંમેશા જિતશત્રુ રાજા જિતતા હતા. પણ જ્યારથી આ બાળક કુક્ષિમાં આવ્યો ત્યારથી દ્યુતમાં વિજ્યારાણી જીતવા લાગ્યા. તેથી આ બાળક કોઈથી ન જીતાય તેવો હોવાથી અમો તેમનું અજિત એવું ગુણ સંપન્ન નામ રાખીશું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણની પ્રભા સમાન હતો. તેનું લાંછન ગજ(હાથી) હતું.
ભઅજિત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ અઢાર લાખ પૂર્વ રાજકુમાર અવસ્થામાં રહ્યા. ત્રેપન લાખ પૂર્વ અને એક પૂર્વાંગ માંડલિક રાજા રૂપે રાજ્યાવસ્થા ભોગવી એ રીતે એકોતેર લાખ પૂર્વ અને એક પૂર્વાંગ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાય સૂત્ર૧૪૯ પ્રમાણે તેમનો ગૃહસ્થ પર્યાય ૭૧ લાખ પૂર્વનો હતો. ૪૫૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા.
મહાસુદી નોમના દિવસે વિષયો (ગ્રામ્યાચાર) તથા રાજ્યનો પરિત્યાગ કરી અજિતનાથ સ્વામી અયોધ્યા નગરીથી નીકળ્યા. તેમણે છટ્ઠ ભક્ત તપ કરેલો હતો. ઉંમરની પાછલી અવસ્થા હતી. ત્યારે સુપ્રભા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા ભાગમાં દિક્ષા લેવા માટે નીકળેલા. સહસ્રાપ્રવન ઉદ્યાનમાં એક હજાર પુરુષો સાથે જ્યારે રોહિણી નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અજિતનાથ ભગવંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. અયોધ્યા નગરીમાં જ બ્રહ્મદત્ત નામના ગૃહસ્થે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી પ્રથમ ભિક્ષા દાન કર્યું. તેમણે મગધ, રાજગૃહી આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલ. બાર વર્ષ પર્યન્ત છદ્મસ્થ રૂપે રહ્યા. ત્યારે બીજા જીવો વિચારી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
પોષ સુદી અગિયારસના દિવસે છઠનો તપ કરેલા એવા અજિતનાથ પ્રભુને શ્રાવસ્તી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં એકરાત્રિકી પ્રતિમા વહન કરીને (પ્રાતઃ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org