________________
૧૦૮
આગમ કથાનુયોગ-૧
(૭) ઉત્ત.મૂ. ૯૭૮–.
(૮) ઉત્ત.ચૂં.. ૨૦૭; ૦ ભઋષભની ગણઘર – આદિ સંખ્યા :
–૦- કૌશલિક અર્હત્ ઋષભદેવને ગણધર આદિ આ પ્રમાણે થયા– ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધર હતા. -ઋષભસેન પ્રમુખ ૮૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. -બ્રાહ્મી સુંદરી આદિ ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. - શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
- સુભદ્રા વગેરે ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. (તીર્થ પ્રવર્તન સમયે મુખ્ય શ્રાવિકામાં સુંદરીનું નામ હતું. જુઓ સાવરચક્ર નિર્વત્તિ ૩૪૩ની વૃત્તિ)
– જિન ન હોવા છતાં જિન સમાન સર્વાસર, સંયોગવેદી જિન-ભગવંતની માફક યથાર્થ પ્રતિપાદન કરનારા ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ ૪૭૫૦ની સંપદા થઈ
– અવધિજ્ઞાની મુનિયોની ઉત્કૃષ્ટ સંપદા નવજાર ની થઈ.
-વીસ હજાર જિન (કેવળજ્ઞાની) અને ૨૦,૬૦૦ વૈક્રિય લબ્ધિધારી શિષ્યોની સંપદા થઈ.
- વિપુલમતિ મન:પર્યવજ્ઞાનિયોની ઉત્કૃષ્ટ સંપદા ૧૨,૬૫૦ની થઈ. - વાદકલા નિપુણ શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા પણ ૧૨,૬૫૦ની થઈ
– કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા તથા પછીના આગામી ભવે સિદ્ધ થનારા એવા અનુત્તર વિમાને ઉત્પન્ન થયેલા શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા ૨૨,૯૦૦ હતી.
-ભગવંતના ૨૦,૦૦૦ શ્રમણો અને ૪૦,૦૦૦ શ્રમણીઓ એમ કુલ ૬૦,૦૦૦ અંતેવાસીઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા.
-ભગવંત ઋષભને બે પ્રકારની અંતકર ભૂમિ થઈ :- ૧. યુગાન્તર અને ૨. પર્યાયાન્ત કર. યુગાંતકર ભૂમિ (મોક્ષમાર્ગ) અસંખ્ય પુરુષ સુધી ચાલુ રહી અને પર્યાયાંતકર ભૂમિ તો અંતમુહૂર્તમાં ચાલુ થયેલી. કેમકે મરૂદેવામાતાએ પ્રભુને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયાના અંતમુહૂર્તમાં જ અંતકૃત્ કેવલિપણું પ્રાપ્ત કરેલ.
–ષભ અર્પના અનેકાનેક અનગાર શિષ્યોમાં કેટલાંક એક માસના દીક્ષા પર્યાય વાળા હતા – યાવત્ – (ઉવવાઈ સૂત્રના વર્ણન અનુસાર) તે બધાં શિષ્યો ઉર્ધ્વજાનું, મસ્તક નમાવેલા, ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. ઉપરોક્ત બોલ સંગ્રહના આગમ સંદર્ભ :મુખ્યત્વે – (૧) જે ૪૪
(૨) કલ્પ.મૂ. ૨૧૩ થી ૨૨૬,
–
૪ ––
»
–
ભગવંત ઋષભનું વિસ્તૃત કથાનક પૂર્ણ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org