SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્રભઋષભકથા જ્યોતિષ્ક દેવોના બે ઇન્દ્રો પોતપોતાના પરિવાર સાથે આવ્યા. બધાં જ પ્રભુના શરીર પાસે વિધિપૂર્વક પર્યાપાસના કરતા ઊભા રહ્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તે અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી નંદનવન જઈ, સરસ, શ્રેષ્ઠ, ગોશીર્ષ ચંદનના લાકડાં લાવો. લાવીને ત્રણ પ્રકારની ચિતાઓ બનાવો :૧. તીર્થંકર ભગવંતની, ૨. ગણધરોની અને ૩. બાકીના સાધુઓ માટેની. તીર્થંકર માટેની ચિત્તા વર્તુળાકાર બનાવી, જે પૂર્વ દિશામાં હતી. બીજી ગણધર માટેની (અાવશ્યના મતે ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલ માટેની) ચિતા ત્રિકોણાકાર બનાવી, જે દક્ષિણ દિશામાં હતી અને ત્રીજી શેષ અણગારો માટેની ચિંતા ચતુષ્કોણ હતી, જે પશ્ચિમ દિશામાં હતી. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવી જલ્દીથી ક્ષીરોક સમુદ્રથી ક્ષીરોદક લાવવા કહ્યું. તે દેવો જ્યારે ક્ષીરસમુદ્રનું જળ લાવ્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થંકરના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવ્યું. તાજા ગોશીર્ષ ચંદન વડે વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યું. તે વખતે ભવનપતિ યાવતુ વૈમાનિક દેવોએ ગણધર અને અન્ય અણગારોના શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું, તાજા ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. સંપૂર્ણ દેવદૃષ્ય યુગલ વસ્ત્ર પહેરાવ્યા. સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. પછી તે દેવેન્દ્ર દેવરાજ શકે તે અનેક ભવનપતિ યાવત્ – વૈમાનિક દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઈહામૃગ, વૃષભ, તુરંગ – યાવત્ – વનલતા આદિ ચિત્રોવાળી ત્રણ શિબિકાઓ બનાવો. એક તીર્થંકર ભગવંત માટે, બીજી ગણધરો માટે, ત્રીજી બાકી અણગારો માટેની. ત્યારે તે અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોએ ત્રણ શિબિકાઓ વિકુર્તી. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા શક્ર ઇન્દ્રે પ્રભુના શરીરને એક શિબિકામાં પધરાવ્યું. અન્ય દેવોએ ગણધરોના શરીરને બીજી શિબિકામાં અને બાકીના મુનિના શરીરોને ત્રીજી શિબિકામાં પધરાવ્યા. પછી પ્રભુના શરીરવાળી શિબિકાને શક્રેન્દ્રએ અને ગણધરો તથા અન્ય મુનિવરોના શરીરોવાળી શિબિકાને અન્ય દેવો ઉપાડીને ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્રએ તીર્થંકરના શરીરને શિબિકામાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું. બીજા દેવોએ ગણધરો તથા મુનિવરોના શરીરને શિબિકામાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અગ્નિકુમાર દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી તીર્થંકર, ગણધર અને મુનિવરોની ચિતાઓમાં અગ્નિની વિકુર્વણા કરીને મને જણાવો. ત્યારે અગ્રિકુમાર દેવોએ વિષાદયુક્ત ચિત્તે, આનંદરહિતપણે, અશ્રુપૂર્ણ નયનોવાળા થઈને તીર્થંકર યાવત્ મુનિઓની ચિતામાં અગ્નિ વિકુર્તી પોતાના મુખ વડે પ્રક્ષેપ કર્યો. = Jain Education International ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ વાયુકુમાર દેવોને બોલાવીને કહ્યું કે, તમે જલ્દીથી તીર્થંકર યાવત્ મુનિવરોની ચિતામાં વાયુકાયની વિકુર્વણા કરો, અગ્નિને પ્રજ્વલિત કરો અને તીર્થંકર-ગણધર તથા મુનિવરોના શરીરોને જલાઓ. ત્યારે તે વાયુકુમાર દેવોએ ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy