SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આગમ કથાનુયોગ-૧ કેવલી પર્યાયમાં રહ્યા. એ રીતે એક લાખ પૂર્વ સુધી શ્રામણ્ય પર્યાય પાળીને, કુલ ચોર્યાશી લાખ પૂર્વ સુધી સર્વાયુ પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયા ત્યારે આ અવસર્પિણી કાળમાં સુષમદુઃષમા નામનો ત્રીજો આરો ઘણોખરો ગયા બાદ, ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે જે આ હેમંત ઋતુનો ત્રિીજો માસ, પાંચમો પક્ષ એટલે કે મહા માસના કૃષ્ણ પક્ષની તેરસને દિવસે એટલે કે, મહાવદ તેરશને દિવસે (ગુજરાતી પોષવદ–૧૩) અષ્ટાપદ નામના પર્વતના શિખર પર, ચૌદશ ભક્ત તપ કરતા (છ ઉપવાસ વડે યુક્ત) અભિજિત નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો. ત્યારે ૧૦,૦૦૦ સાધુઓ સહિત, પૂર્વાકાળે સમ્યક્ પ્રકારે પલ્થક આસને બેઠા બેઠા કાળધર્મ પામ્યા, સંસાર સમુદ્રનો પાર પામ્યા – યાવત્ – સર્વ દુઃખથી મુક્ત થયા. –૦- શક્રાદિ દેવેન્દ્ર કૃત્ નિર્વાણ મહોત્સવ : જે સમયે કૌશલિક અત્ ઋષભ કાળધર્મ પામ્યા, તેમના જન્મ જરા બંધન નષ્ટ થયા. તેઓ સિદ્ધબુદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા, ત્યારે અર્થાત્ ઋષભદેવ ભગવંતનું નિર્વાણ થયું ત્યારે શક્રનું સિંહાસન ચલાયમાન થયું. દેવેન્દ્ર દેવરાજ શક્રએ પોતાનું આસન ચલાયમાન થયું જાણી, અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અવધિજ્ઞાન વડે તીર્થકર ભગવંત ઋષભનું નિર્વાણ થયું જાણીને આ પ્રમાણે કહ્યું જંબૂદીપ નામક દ્વીપમાં ભરત વર્ષમાં કૌશલિક ઋષભ અત્ નિર્વાણને પ્રાપ્ત થયા છે. અતીત–વર્તમાન અને અનાગત દેવેન્દ્ર દેવરાજ શકનો એવો આચાર છે કે, તીર્થકરના નિર્વાણનો મહોત્સવ કરે. તો હું પણ તીર્થકર ભગવંતનો નિર્વાણ મહોત્સવ કરવા જાઉં. એમ વિચારી તે વંદના અને નમસ્કાર કરે છે. વંદના-નમસ્કાર કરીને ૮૪,૦૦૦ સામાનિક દેવો, તેત્રીશ ત્રાયઢિશક દેવો, ચાર લોકપાલો – યાવત્ – ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા અનેકાનેક સૌધર્મલોકવાસી વૈમાનિક દેવ-દેવીઓ વગેરે સર્વ પરિવાર યુક્ત થઈ ઉત્કૃષ્ટ ગતિથી – યાવત્ – તિર્યલોકના અસંખ્ય દ્વીપસમુદ્રોના બરાબર મધ્યભાગમાં થઈને અષ્ટાપદ પર્વત પર આવે છે. જ્યાં ભગવંત ઋષભનું શરીર છે, ત્યાં આવીને વિષાદ યુક્ત મનવાળો, આનંદ રહિત, અશ્રુસભર નેત્રવાળો તે તીર્થંકરના શરીરની ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બહુ દૂર નહીં, બહુ નિકટ નહીં એ રીતે ઊભો રહી શુશ્રુષા – કાવત્ – પર્યુપાસના કરવા લાગ્યો. તે કાળ, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર જે ઉત્તરાર્ધ લોકનો અધિપતિ અને અઠાવીસ લાખ વિમાનનો સ્વામી હતો. જેના હાથમાં ફૂલ હતું. વૃષભ વાહન હતું. રજરહિત આકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેર્યા હતા – યાવત્ – વિપુલ ભોગ ભોગવતો હતો. તેનું આસન પણ ચલાયમાન થયું. તેણે પણ પોતાના અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા તીર્થકર ભગવંતનું નિર્વાણ જાણ્યું. તે પણ શકેન્દ્રની જેમ પોતાના પરિવાર સાથે તે જ રીતે અષ્ટાપદ પર્વત પર આવ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. એ જ રીતે બધાં જ ઇન્દ્રો – યાવત્ – અય્યતેન્દ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા. એ જ રીતે ભવનવાસીના વીસ ઇન્દ્રો, વાણવ્યંતરના સોળ (બત્રીશ) ઇન્દ્રો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy