________________
રમવું–જમવું એ સામાન્ય કર્તવ્ય ગણાયું. આ સ્થિતિ વચ્ચે તેમના પિતાએ દુકાન ઉપર બેસારવાને વધારે દુરસ્ત ધાર્યું અને તે રીતે દશ વર્ષની ઉમરથી વ્યવહારૂ અભ્યાસ શરૂ થયે. સ્કૂલમાં પૂરતા આંક પણ જાણેલા ન હોવાથી ઉપગ પડતા હિસાબે અને સામાન્ય વાંચવા લખવાનું દુકાને તેમના પિતાની સંભાળ ભરી દેખરેખ નીચે શરૂ રહ્યું, અને તે રીતે પાંચ વર્ષની કેસેટી પછી તેઓ ચહેવારિપગી શિક્ષણમાં કુશળ થયા.
વ્યવહારની સીડી પ્રાથમિક નજરે ગમે તેટલી સરળ યાને રસ. મય જોવાતી હોય, પરંતુ નૈતિક અને આત્મહિત દષ્ટિને અગ્ર રાખીને તે માગે નિરાબાધ ગમન કરવું તે મહા મુશ્કેલ છે. વ્યવહાર અને વ્યાપાર માગમાં એટલા બધા ટેકરા અને ખાડા ખાબોચીયાથી માર્ગ ખેડાઈ ગયે છે કે, નવી થતી પ્રજાને વ્યાપાર કર્યો હસ્તગત કરે ? અને નીતિના કયા સૂત્ર ઉપર તેને પાયે ચણ? એ ગંભીર સ્વાલ થઈ પડે છે. વ્યાપારની ગેરવ્યાજબી હરીફાઈ અને તે પણ ખરું ક. હીએ તે વ્યાપાર નહિ પણ પરદેશમાં ઉત્પન્ન થતા માલને વેચવાની ચાલુ કરવાની અને ખપાવવાની દલાલી યાને વૈતરું કરવાના ધંધા અને તેમાં પણ સંખ્યાબંધ હરીફેની સ્પર્ધા વચે ઉદર નિર્વાહ કરે આ ભૂમિને મુશ્કેલ હતું. આવા વાતાવરણમાં વગર નાણથી ફક્ત જીભના સેદા કરીને વેપાર ચલાવવાના એક નવા ધંધામાં પ્રવેશ કર્યો અને તે વગર મુડીના વેપાર-સટ્ટા તરફ શહેરના લોકોનું ધ્યાન દે. રાયું હતું. આ વ્યાપારે મહુવામાં પણ પિતાને વાસ કર્યો હતે. તેથી
અનુકરણએ મનુષ્ય સ્વભાવ છે.” એ ન્યાયે મુળચંદભાઈ પણ તેમાં જોડાવા લાગ્યા. એટલું ખરું છે કે, તે ધંધા તરફ લકે માનની દષ્ટિથી જોતા નથી, પરંતુ એકદમ પૈસાપાત્ર થવા અથવા એકદમ ભીક્ષુક થવાને તે સાધન ઉપયોગી છે. તેમાં ના કહી શકાય તેમ નથી.
નીતિ અને અનીતિના સૂત્રની સાંકળ એવી રીતે ગુંથાએલ છે કે નૈતિક અવલંબનમાં અનુક્રમે નીતિના જ કાર્યની હાર દેરાય છે અને અગ્ય આચરણને રવીકારતાં અનુક્રમે તેવાજ કાર્યોને પ્રબંધ તૈયાર થાય છે. તેમ સટ્ટાના ધંધામાં એકી સામટું ગુમાવવાથી જે સંક
| [ 3 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org