SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે અને વડીલેાના શબ્દોના પડઘા પાડે છે. આવા સજોગોમાં ઉછરતા મગજની દૃષ્ટિએ જે સ ંસ્કાર રજી થાય છે, તેજ તેના જીવનની રેશા છે. અને તેથીજ પવિત્ર જીવન મનુષ્યને પવિત્ર થવાને ખાસ જાણુવા-વાંચવા જરૂરનાં છે. મહાન પુરૂષનાં જીવન પણ શ્રેણીમધ ચઢતાં છેક શ્રેષ્ટપદે ૫હાંચે છે, અને તેથી સામાન્ય વ્યક્તિને આવા જીવનથી પોતાના મા સૂઝે છે. પરમાત્મા વીર પણુ એક વખત સામાન્ય વ્યક્તિ હતા, પરંતુ પેાતાના વર્તન–વિચાર અને આચરણમાં જેમ જેમ નિઃસ્વાર્થ ઉપચોગી પવિત્ર રજકણા ભરતા ગયા અને ક`મેલને કાપી અપવિત્ર રજકણાને ભેદતા ગયા, તેમ તેમ જીવનદિશા નિળ થતાં સતાવિશ ભવે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકયા હતા, સારા કામમાં સે વિઘ્ન ” એ ન્યાયે જીવનનું નિઃસ્વાર્થ વહન અનેક કસોટીમાં પસાર કરવા પછી પ્રાપ્ત થઇ શકે છે અને તે સાટીનેા કસ તેજ નિર્મળતાનુ તેજ છે. '' આપણે જે મહાત્માનું જીવન દર્શન કરવાનું છે, તે પણ વ્યવહાર ચક્રમાંથી પસાર થતુ શરૂ થાય છે. આચાય શ્રીવિજયધર્મ - સૂરિએ બાળવયમાં મુળચંદ નામથી ઓળખાતા મહુવાના વીશાશ્રીમાળી વણિક હતા. અલમત એટલું ખરૂ છે કે પૂર્વ પુણ્ય કમ ના ચાગથી સદ્ગુણી ઉચ્ચ કુળમાં જન્મ ધારણ થાય છે. અને તે પ્રમાણે મહુવાના શામવાના નામથી જાણીતા ઉત્તરોત્તર આબરૂદાર કુટુ ખમાં રામચક્ર શેઠને ત્યાં કમળાદેવી માતાથી મુળચંદભાઇને જન્મ સંવત ૧૯૨૪ માં થયા હતા, મુળચ`દભાઈને એ ભાઇએ અને ચાર બહેન હતાં અને તેથી તેમની ખાળવય હાળા ઉછળતાં કુટુખમાં, આનંદ ચેષ્ટામાં તેમજ રમ્મત ગમ્મતમાં જ પસાર થવાને તક હતી. વળી વ્યાવહારિક શિક્ષણ માટે તે વખતે જોઇએ તેટલી કાળજી કે દખાણુ નહતુ. આ સર્વ પ્રસ'ગા તેમને અભ્યાસમાં પાછળ રાખનારા હતા. અને પરીણામ પણ તેજ આવ્યું. તે નવ વર્ષે સામાન્ય લખતાં જ શીખ્યા, જ્યારે કુદરતી રચનાના જાણે અભ્યાસ કરવાના હોય તેમ જંગલમાં જવુ, [ 2 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy