SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ આશયથી તેઓશ્રીએ સં.૧૯૬૨નું ચાતુર્માસ પૂર્ણ થતાં બનારસથી વિહાર કર્યો. વિહાર પ્રસંગે મુનિમંડળ તથા કેટલાક વિદ્યાથીઓ પણ સાથે આવવા તૈયાર થયા. પરંતુ માર્ગ જેને સંપ્રદાયથી નિરાળે અને વિકટ હતું. તેથી મુનિમંડળને સહન કરવાની આતાપના વિદ્યાથીઓ માટે અસહ્ય થઈ પડે તેમ હતું. આ સંજોગો વચ્ચે વિદ્યાથીને ઉત્સાહ ગમે તે પરિશ્રમ વચ્ચે પણ યાત્રાને લાભ છ–રી પાળતાં લેવાને દઢ નિશ્ચય ટકી રહે. લાંબા સંસર્ગથી મહારાજશ્રીના દઢ બળ અને ધર્મ સંયુક્ત કાર્ય પદ્ધતિના ઉંડા સંસ્કાએ બાળ મગજમાં સચ્ચાટ વાસ કર્યો હતે. તેથી તેમની ભાવનાનું બળ વિટંબનાનું વાદળ જેવા છતાં ટકી રહ્યું અને તે દઢતાના ફળરૂપે કાશી નરેશ તેમજ અજમલગઢવાળા કેટીશ મેતીચંદજીએ વિદ્યાથીઓને મુસાફરીના સુખરૂપ સાધનોની સગવડ કરી તેમના ઉત્સાહને સરલ કરી દીધું. વિહાર શરૂ થયે, માર્ગના ગામમાં વિચરતાં અને યથા અવસર ઉપદેશ દેતાં આરા થઈ પટના મુકામ થયે. આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે આ પ્રસંગે યાત્રાનો લાભ લેવાને કેટલાક વિદ્યાથી” (ર) એ સાથે આવ્યા હતા. જ્યારે બાકી રહેલા વિદ્યાથીઓ આ તકને લાભ ન મળવાથી દિલગીર થતાં પટના મુકામે વિનંતિપત્ર મોકલેલ હતું. તે મહારાજશ્રી પટને આવતાં મળે. સમયની અનુકૂળતા છતાં અર્ધ ભાગ લાભ રહિત રહે તે અગ્ય સમજી ઈચ્છા હોય તેને આવવા છૂટ મળી અને તુ બાકીના વિદ્યાથીઓ ત્યાં આવી મળ્યા. આટલી મુસાફરીમાં તેઓ જોઈ શકયા કે જીવદયાની આ ક્ષેત્રમાં ગંધ પણ ન હતી. અને તેથી મુખ્ય ઉપદેશ જીવદયાને શરૂ કર્યો હતો. આરા અને પટનામાં જાહેર ભાષણે આપતાં સેંકડો મા સેનાં હૃદય સંસ્કારી થયાં, સંખ્યાબંધ માણસોએ જીવ હીંસા છેડી દીધી અને દયા તત્વનું ભાન-જ્ઞાન સ્થાપિત થયું. [ 2 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy