SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જE S: જ લવ ની. ૨ યાત્રા અને ઉપદેશ, જે કામની વ્યવસ્થા નિયમિત થઈ હતી. મુનિધર્મને અવલંબી _એકજ સ્થળે સ્થિર રહેવું તે હવે આવશ્યક ન હતું. ક્ષેત્ર ફરસના એજ મુનિ કર્તવ્ય છે, તેમ તેઓ સારી રીતે સમજતા હતા. એક જ સ્થળે પડી રહેવાથી ત્યાંના વત્નિએમાં વખત જતાં અંધશ્રદ્ધા. ઘર કરે અને તેથી મુનિ ધર્મના આકારા આચારમાં પ્રમાદ–શિથિલતા પ્રવેશ કરે તે બનવા જે હેવાથી શાસ્ત્રકારે પણ મુનિને સ્થીરવાસ કરવા મના કરી છે. તે વાત તરફ તેમનું લક્ષ હતું. વળી તેઓ સમ. જતા હતા કે જે પ્રદેશમાં સ્થળે રથળે સેંકડો શ્રદ્ધાળુ જૈન સમુદાયને વસવાટ છે, જ્યાં રહેવામાં એશઆરામ અને સુખશાંતિના સાધને પથરાએલાં છે, જ્યાં વિચરવામાં વિશ્રાંતી અને વાહવાહના અનેક પ્રસંગે છે, તેવા પ્રેમલા પ્રદેશને છોડી તેઓ અનેક સંકટ અને પરીસહ સહન કરી દયાધર્મથી વેગળા પ્રદેશમાં આવેલ હતા. ત્યાં જ એક જ સ્થળે રહી જમાવટ કરવામાં આવે તે આ લાંબા શ્રમ અને સફરનું ફળ સ્વ૯૫ હતું. આ સઘળાને વિચાર કરતાં બંગાળાના વિશાળ પ્રદેશમાં વિચરી વિવિધ વાતાવરણમાં વસતા જનસમાજને જૈન અને દયા ધર્મનું ભાન કરાવવા સાથે જે ભૂમિમાં તિર્થકરોના જન્મ, દિક્ષા, કેવલ્યાદિ કલ્યાણકેથી અને વિહારાદિકના પવિત્ર રજકણોથી પવિત્ર થએલ ભૂમિકાઓ–તિર્થક્ષેત્રે વિદ્યમાન છે, તેના પવિત્ર દર્શન-સ્પર્શનનો લાભ લેવા અને તેવા શાંત ક્ષેત્રમાં વિહરી આત્માને પૂર્વ ઈતિહાસથી પ્રત્યક્ષ અવેલેકનવડે નિર્મળ કરવાના [ 24 ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy