SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના અને ભિક્ષા કરતે હોય તે પણ ધર્મલાભ દે નહિ. ધર્મલાભની આ શિષ જે સ્વધર્મને હાનિકારક નથી તેમજ પરને અલાભકર નથી તે શુભાશીર્વાદ સાધુ આપે છે. પરંતુ વર્તમાનકાળમાં કેટલાક જૈન નામધારી બાપડા ધર્મલાભ દેતાં ડરે છે. કેટલાક શાસ્ત્રના પરિચય થી સમજવા શીખ્યા છે, તે બાપડા અન્ય પરંપરામાં પડેલા હોવાથી સાડાચાર અક્ષર બેલી શકતા નથી. કેટલાક તે વળી ધર્મલાભ કે જેને દરેક આચાર્ય મહારાજે સન્માનિત કરેલ છે તેને નિર્જે છે. તેઓ પણ કર્મ કિચ્ચડમાં ડૂબેલા છે. ધર્મલાભ સ્થળે સ્થળે સૂત્રની ટીકામાં આપેલ છે, તેના અક્ષરે સ્કુટ છે. દશવૈકાલિક સૂત્રના પિંડેષણધ્યયનની ૧૮મી ગાથાની ટીકામાં સહેતુક ધર્મલાભ આપ કો છે, તથા કાણુગ સૂત્રની વૃત્તિ તૃતીયાધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં ધર્મલાભ સાધુએ આપેલ છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં અરતિ પરિસહ કથાનકમાં મહાસવનલાાિ ઇત્યાદિ સ્પષ્ટ લખેલ છે. તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રાદિમાં સાધુએ ધર્મલાભ આખ્યાને અધિકાર ઘણે ઠેકાણે છે. શ્રી નેમનાથચ. રિત્રના દ્વિતીયસગમાં ચારૂદત્ત સંબંધી એકલેક નીચે પ્રમાણે છે तत्रारुढेन दृष्टश्च कायोत्सर्गस्थितो मुनिः। वन्दितश्च मया धर्मलाभं दत्त्वाति सोऽब्रवीत् ॥ १॥ ઇત્યાદિક ધર્મલાભને અધિકાર છે. તથા દિગમ્બર પણ ધમલાભને પ્રમાણભૂત માને છે. કદાચ કઈ કદાગ્રહગ્રસ્ત કહેશે જે મૂળ સૂત્રમાં ધર્મલાભ ક્યાં છે? તેના જવાબમાં એટલું જ જણાવીશ કે મહાનુભાવે! મૂળ સૂત્ર પ્રમાણે તમામ કાર્ય કરતા હે તે મૂળ સૂત્રમાં તે છે કે નહિ એ તમારે પ્રશ્ન સર્વયા અલબત, માનવા લાયક છે. અન્યથા વિદ્વત્સમાજમાં ઉપહાસ્યને પાત્ર છે. શ્રીવીરદેવના શાસનમાં મૂળ સૂત્ર, તેમજ નિર્યુકિત, ભાગ્ય, સૂણી વિગેરે તમામ પ્રમા | ભૂત છે. પરમાત્માનું શાસન આપણને રાગદ્વેષ કમ કરવાનું સૂચ વે છે. ચાહે કઈ પણ વ્યકિત હોય, પરંતુ જે તે રાગદ્વેષથી મુક્ત હેય તે તેને મુક્ત સમજ. ભલે શવ, વૈષ્ણવ, બૈદ્ધ, સાંખ્ય, મીમાંસક કે જેન કેઈ પણ હે, પરંતુ સમભાવથી ભાવિતાત્મા જે હેાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy