SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાચાર્યોને ઉદાભાવ. (૯૩) કેઈને દુઃખ થાય તેવી પ્રવૃત્તિ કરીશ નહિ, કેવળ આત્મહિત થાય તે પ્રમાણે વિચર, જે છેડે ધર્મ પણું સ્વર્ગનું કારણ છે તે સાધુ ધર્મ મેક્ષનું કારણ થાય તેમાં આશ્ચર્ય નથી. કદાચ મુક્તિ ન થાય તે સ્વગતે અવશ્ય થાય. જેમકે – गारं पि अावसे नरे अणुपुब्धि पाणेहिं संजए । समता सव्वत्य सुब्बते देवाणं गच्छे स लोगयं ॥१३ ॥ सोच्चा जगवाणु सासणं सच्चे तत्य करेज्जुवकर्म । सव्वत्थ विणीय मच्छरे उच्छं जिक्खु विमुफमाहरे ॥१४॥ ભાવાથી ઘરમાં રહેનાર ગૃહસ્થ પણ અનુક્રમે દેશવિરતિને પાળતે તેમજ સર્વત્ર સમભાવવાળે એ વતી પણ દેવલોકમાં જાય છે તે સાધુની શી વાત? વીતરાગ દેવનું અનુશાસન (આગમ) સાંભળી, ત્રિલેકના નાથે સ્વાનુભવ પૂર્વક પ્રકાશિત કરેલ સંયમ ધ. મની પ્રાપ્તિ કરવા ઉદ્યમ કર, પામેલ સંયમની રક્ષા કરવી, તથા રાગદ્વેષના ત્યાગ પૂવક શુદ્ધાહાર બેંતાલીસ દોષ રહિત લે અને તે આહારથી સંયમની ઉજવળતા વધે તેમ કરવું. વિવેચન –શ્રીવીરપરમાત્માના શાસનમાં પક્ષપાતને દેશવટે મળેલ છે, જે કઈ ચારિત્રધર્મની પાલન કરે તે મુકિતનગરમાં જઈ શકે. ગ્રહસ્થાવાસમાં રહેલ પ્રાણુ જે સમભાવમાં મગ્ન થાય તે તે પણ સ્વર્ગાદિ ગતિ પામી મુક્તિનગરમાં ધીમે ધીમે જઈ શકે છે. કદાચ ઉચ્ચ ભાવમાં આરૂઢ થાય તે ભાવચારિત્રના જેરથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ કરે. કેવળજ્ઞાન મળ્યા બાદ શાસનદેવે સાધુને વેષ અર્પણ કરે છે. કારણ કે ગ્રહસ્થાવાસમાં કેવળીનું કેઈ સન્માન ન કરે, અથવા પૂજે નહિ કિવા વાંદે નહિ તે, કેવળજ્ઞાનની આશાતના થાય. કારણ કે વ્યવહારનયની પ્રવૃત્તિ બળવાળી છે. ગૃહસ્થ ગમે તે જ્ઞાની થાય તે પણ તે ગુરૂપદને ગ્ય નથી. તેના થી ધર્મલાભની આશીષ દઈ શકાય નહિ. જ્યારે સાધુને વેષ ધારણ કરે ત્યારે તે ગુરૂપદને ચગ્ય તેમજ ધર્મલાભ દેવાને ચગ્ય ગણાય છે. શ્રાવક પ્રતિમાધારી હોય, સાધુની તુલ્ય આચાર પાળતે હેય ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy