SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૫) જેવું બીજ વાવવામાં આવે, તેવું જ ફળ મળે છે. જેમ યવ વાવી ઘઉં પમાય નહિ, જે વાવેલું હોય તેજ ઉપલબ્ધ થાય, તેમ કર્મનું પણ સમજવું. તેટલા સારૂ કર્મ બાંધતી વખતે વિચારશીલ થવું કે જેથી કરીને તેના વિપાકને ઉદય થયે છત,હાય ય કરવાને વખત આવે નહિ. શાસ્ત્રકારે અનેક યુક્તિ પૂર્વક જીને પકાર કરીને સમજાવે છે કે હે જીવ! જરા તત્વષ્ટિએ સ્વહિતને વિચાર કરજે શુભાશુભ કર્મ કરીશ તે તારે ભેગવવાનાં છે. અન્ય કઈ ભાગીદાર થતું નથી. હાં અલબત, પાપથી એકઠું કરેલ ધન લેવા તેઓ તૈયાર થશે, પરંતુ પાપજન્ય દુઃખ લેવા કેઈ તૈયાર થશે નહિ. કેઈ અતિ પ્રેમને વશ થઈ કહે જે “હું ભાગ લઈશ” પણ તેમ થનાર નથી. કારણ કે કૃતનાશ અને અકૃતને આગમ સત્યમાર્ગની અંદર હોતે નથી. માટે હે મુને! તું પ્રત્યક્ષ જગને વિચિત્ર ભાવ જોઈ લે. આ અસાર સંસાર રૂપ પારાવારમાં જે આદિ, વ્યાધિ અને ઉપાધિમાં ગુંથાએલા છતાં સ્વજીવનને દુઃખમય નિર્ગમન કરે છે. જે તે જીવન જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયની આરાધનામાં ગાળ્યું હેત તે કલ્યાણ માર્ગની પ્રાપ્તિમાં કાંઈ વાર લાગત નહિ; પરંતુ મોહ માતંગ શિરપર બેઠેલ હોય, ત્યાંસુધી જીવેને આગળ વધવાને વિચાર થતું નથી. શું સંસારમાં રહેલ છે સંસારને ઠીક માને છે? કદાપિ નહિ. તથાપિ મેહ મહામલ્લ જેવા વેશ પહેરાવેતેવા પહેરે છે, જેવી રીતે નચાવે તેમ નાચે છે. જેમ બકાવે તેમ બને છે. અર્થાત્ મેહ વશ થએલા જીવને કઈ વાત અકરણીય અથવા અનાદરણીયનથી. સર્વને કૃત્ય રૂપ સમજે છે. તેટલાજ સારૂ સૂત્રકાર “પંડિત” પદ સાથેજ આપે છે. કેવળ વિચારથી કાર્ય ન થાય, અને મેહમાતંગ નિર્બળ ન થાય. વાસ્તવિક તત્ત્વજ્ઞાન થવાથી જ્યારે મેહના મર્મો અને તેની ચેષ્ટાઓ માલૂમ પડે છે, ત્યારે કલ્યાણકાંક્ષી વીર પુરૂષે સ્વસત્તાને ઉપયોગ કરે છે, અને પરસત્તાને તિલાંજલી આપે છે, ત્યારે જ પંડિત ગણાય છે. શાસ્ત્રકારો સાફ લખે છે “યા શિયાવાન સ વ પતિ જે કિયાવાન હોય તેને જ પંડિત જાણવે. તે સિવાય અન્ય, કેવળ નામધારી છે તે જ વાતને ઉપદેશ શતકકાર બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy