SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ द्वीतीय प्रकरण. ઉપાદ્યાત. == ; ++ જગમાં જેમ ઉપદેશકોની સંખ્યા થઈ શકવી મુશ્કેલ છે, તેમજ મતાની ગણુતરી પણ અલ્પજ્ઞાથી થવી અસ ંભવિત છે. આપણે સાંપ્રતકાળમાં ભરતક્ષેત્રના વિચાર કરીશું તે જણાશે કે તે પ્રાયઃ સત્યપદેશથી વંચિત છે, જેના મનમાં જે વિચાર ઉદ્ભન્યા તે તુરતજ જનસમાજની આગળ ધરવામાં આવે છે, અને તે વિચાર જો દેશ વીશ માણસાને અનુકૂળ થયે તો જાણવું કે તેને પણ એક નવે પ્રવાહ શરૂ થાય છે. આજકાલ કેટલાક ઉપદેશકે પેાતાના દેશાચારને જલાંજલી આપી કાટ, પાટલૂન, છૂટ આદિકમાં મશગુલ ખનતા જોવામાં આવે છે. રમણીવર્ગને સાથે લઇ, સમાજમાં જઇ, આપસ આપસમાં ધન્યવાદ ઇ, એ ચાર ગીત ગાઇ, ઘેાડી સંગીત કળાના આવાદ લઇ વિદાય થાય છે; જ્યારે કેટલાકે જમાનાને અનુસાર પાંચ પચાસ શબ્દો ખેલી વાહવાહ કહેવડાવવામાંજ કૃતાર્થતા સમજે છે; કેટલાક બિચારા મહમૂઢ બની પોતે ઇશ્વરનું સ્વરૂપ નહિ સમજ્યા છતાં, અન્યને ઇશ્વરનું સ્વરૂપ સમજાવવા કોશીશ કરે છે. કેટલાક ઉપદેશકે કૃત પ્રત્યક્ષ પ્રમાણનેજ પ્રમાણભૂત માની, જે પ્રત્યક્ષ દેખવામાં આવે તેજ પદાર્થને સ્વીકારે છે, અને બીજાઓને પણ તેવાજ ઉપદેશ આપે છે; કેટલાક જડવાદી પંચ સ્કન્ધ માની, આત્માદિ વાસ્તવિક પદાર્થના અપલાપ કરે છે, ત્યારે કેટલાક બૃહસ્પતિના સમધીઓના દાવે રાખનારાઓ પોતે મદ્યપાન, માંસાહાર, સ્ત્રી સેવા આદિ ભ્રુગુપ્સનીય દુષ્કૃત્યને ધર્મરૂપ માની ભૂલા ભમે છે, અને અન્યને પણ ભ્રમમાં નાંખે છે, કેટલાક જનસેવા કરનાર દેવેનેજ દેવ માને છે, અને ગૃહસ્થ થી પણ ઉતરતા દરજ્જાવાળાને ગુરૂ માને છે. અર્થાત્ જેએ અનીતિ ભરેલી રીતે સ્ત્રીઓને એવા ઉપદેશ કરવા પણ ચૂકતા નથી કે, · આ વૃન્દાવન છે, મને મધુસૂદન માન, અને તારા આત્માને રાધિકા માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy