SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધ દેશના. तृणं वा यदि वा शाकं मृदं वा जलमेव च । परस्यापहरन् जन्तु र्नरकं प्रतिपद्यते ॥ २ ॥ ( ૪ ) આ શ્લોકા જોવાથી તથા તેના અર્થનું મનન કરવાથી જરૂર પ્રતીતિ થશે કે આધુનિક સમયમાં, સન્યાસી, ઉદાસી,નિમ ળા, ખાખી વિગેરે તમામ, વાસ્તવિક આત્મશાચને ભૂલી જઇ કૃત્રિમ શૈાચધર્મમાં મસ્ત ખની ઉન્માર્ગનું પાષણ કરતા હાય એમ જણાય છે, તથા ત્યાગી સાધુઓના આચાર વિચાર ઉપર જૂઠા હુમલે કરવામાં આવે છે. એક ટૂંકા અને ટચ વાકયથી આપને ત્યાગી તથા ગૃહસ્થાના આચારના મર્મ સમજાઈ આવશે. તે આ છેઃ પ્રથામાં ચર્મૂળ - સત્ સાધૂનાં જૂથનું તાત્પર્ય એ છે કે ગૃહસ્થાને જે ભૂષણ રૂપ છે, તે સાધુઓને દૂષણ રૂપ છે. આ સામાન્ય નિયમ સમસ્ત વર્ગના સાધુએને લાગુ પડી શકે છે. દાખલા તરીકે, ગૃહસ્થા ધન,માલ, સ્ત્રી પરિવારવાળા હોય છે, તે તેમને ભૂષણ રૂપ થઇ પડે, એ સિદ્ધજ છે. ગૃહસ્થા ઘેાડા ગાડી વિગેરે વાહનમાં બેસી મુસાફરી કરે તે તેમને તે શેભાસ્પદ છે, પરન્તુ સાધુ જો કોઇ પણ સ્વારી કરે તે નિન્દાપાત્ર થાય છે. રેલગાડી જેવા ભૂમિવિમાનમાં અેસનાર સાધુના ધર્મ સચવાઇ શકાતા નથી, આ વાત પ્રાયઃ તમામ વિચારશીલ ચેગી, લાગી, જ્ઞાની, ધ્યાની, અને અભિમાની યુક્તિપૂર્વક સ્વીકારી શકે એમ છે. રેલમાં બેસનાર ષડ્ઝનના કોઇ પણ અનુયાયીને પૂછશે તે તેએ સ્વાનુભવ પૂર્વક સ્પષ્ટ રીતે કહેશે કે ધર્મ સચવાતા નથી, તે આત્માથી સાધુવર્યના માર્ગ સર્વથા નષ્ટ થાય, તે તેમાં આશ્ચર્ય પણ શુ છે? જુઓ ષગ્દર્શનના સાધુઓના સામાન્ય નિયમા પ્રાયશઃ સરખા છે, જેવા કે– અહિંસા, સત્ય, ચેરી પરિહાર, બ્રહ્મચર્ય તથા નિઃસ્પૃહતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કેઃ— पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy