SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ માયાનું સ્વરૂપ. ( ૬૫ ) આ પાં: તે સર્વ ધર્મોનુયાયીઓને માટે પવિત્ર છે, તે પાંચના નામ—અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ (નિઃસ્પૃહતા ) અને મૈથુનવન (બ્રહ્મચર્ય). પરન્તુ ખેદ માત્ર એટલાજ છે કે તેઓમાંના કઇ એક સ્વધર્માનુસાર આચાર વિચારથી પતિત થઇ જઇ, મધુકર વૃત્તિને છેડી દઇ, હરકોઇ પ્રકારે સ્વાદર પૂર્તિમાં તત્પર થાય છે, અને સાધુ જાતિ પર કલક આપે છે. સત્ય માર્ગના પ્રકાશક, મેક્ષ માર્ગના સાધક, કર્મ શત્રુના ખાધક, શત્રુ મિત્ર પર સમભાવ ધારક, સંસાર સાગરથી ભવ્ય જીવેાના તારક, રાગદ્વેષથી મુક્ત, કંચન કામિનીના ત્યાગી તથા વૈરાગી ઇત્યાદિ અનેક ગુણગણાલકૃત મુનિવરો ઉપર આક્ષેપ કરી, સત્યાચારને વખોડી કાઢી ભદ્રિક જીવાને ઠગતા અહીં તહીં ક્રૂરતા ક્રે છે. જો કે અંતે સત્યમાર્ગ પ્રકાશમાં તા અવશ્ય આવેજ છે, તથાપિ ચેાડીવાર દુનિયાને દીવાની બનાવી ખરા માર્ગને નિંદવા સારૂ નીચે પ્રમાણે કલ્પિત શ્લોક જોડી કાઢતા જોવામાં આવે છેઃ— हस्तिना ताड्यमानोऽपि न गच्छेज्जैनमन्दिरम् । न वदेद्यावनी भाषां प्राणैः कण्ठगतैरपि ।। १ ।। હાથી વડે તાડન થયે છતે પણ જૈન મન્દિરમાં જવું નહિ, તથા પ્રાણ કંઠે આવે તે પણ્ યવનની ભાષા એલવી નહિ. આ ફ્લેકના ઉત્તરમાં કાઇ જેનાચાય પણ એવા સ્લોક જોડી કાઢે તે તે અનુચિત ગણાય નહિ કેઃ— सिंद्धेनाताड्यमानोऽपि न गच्छेच्छेवमन्दिरम् । न वदेद् हिंसिकी भाषां प्राणैः कठगतैरपि ॥ १ ॥ મહાશયે ! ખ્યાલ કરો કે દ્વેષબુદ્ધિથી કેવા આક્ષેપેા થવા પામે છે ? ઉપરના બેઉ સ્લાકે ગ્રાહ્ય નથી. એ તે પ્રાયઃ ઢડાદડિ, કેશાકેશિ, તથા મુષ્ટામુષ્ટિ યુદ્ધ થયું, બીજું કાંઇ નહિ, અસલમાં પૂછે તે કઇ અલ્પ બુદ્ધિવાળા પુરૂષે જૈનીએ પર તે આક્ષેપ કરેલે જણાય છે. તે સ્લાક સ્મૃતિ અથવા પુરાણમાં કોઇ સ્થળે જોવામાં આવતા નથી, ફકત કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005007
Book TitleDharm Deshna
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherHarshchandra Bhurabhai Shah
Publication Year1915
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy