SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૫ નિશ્ચયાત્મક ઈન્કાર કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે, કારણ કે જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને અંશ છે, સત્યની એક બાજુ છે, તેને તે રૂપે એટલે કે સત્યના એકાદ અંશરૂપ નહિ સ્વીકારતા કઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાને દુરાગ્રહ થાય, ત્યારે તે સત્ય સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્યારૂપ બને છે. જૈનદર્શન સ્યાદ્વાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપે સ્વીકારવાને સદાગ્રહ સેવે છે અને ઈતર આસ્તિક દર્શનકારે પોતે સ્વીકારેલ રીતિ મુજબ જગના પદાર્થોને સ્વીકારવાને-માનવાને દુરાગ્રહ ચાલુ રાખે છે. જો કે આસ્તિક તરીકે જૈનદર્શન અને ઈતર સાંખ્યાદિ આસ્તિક દર્શને સામાન્ય રીતે એક સમાન હોવા છતએ, જેનદર્શનમાં કેવળ સ્વાદુવાદની દષ્ટિ હેવાને અંગે આ બંને (જેન–અજૈન) દર્શનની તરવવ્યવસ્થામાં મેળ રહે શક્ય નથી, માટે જ તત્ત્વને તત્ત્વરૂપે નહિ સ્વીકારનાર - અશ્રદ્ધાનરૂપ હાઈ મિથ્યારૂપ બને છે. વિપરીત તત્ત્વાર્થપ્રતીતિ-આત્મપ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસારદશામાં જગના સઘળા બનાવે, ભાવે અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ, માત્ર પિતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાનવડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે. જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy