________________
વ્યવહાર-નિશ્ચયથી બાર વ્રત
155.
કરવાને જીવનો ધર્મ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે “નિશ્ચયથી સાતમું વ્રત છે.”
આઠમું વ્રત પ્રયજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું.. તે “વ્યવહારને આશ્રી આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે.” અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે.”
નવમું વત આરંભના કાર્યને છેડી, સામાયિક કરવું, તે “વ્યવ હારથી નવમું સામાયિક વ્રત છે. અને જ્ઞાનાદિ મૂળ સત્તા . ધર્મ વડે સર્વ જીવોને સરખા જાણી સર્વને વિષે સમતા પરિણામ રાખવા, તે “નિશ્ચનથી નવમું સામાયિક વ્રત છે.”
દશમું વ્રત નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે વ્યવહારથી દશમું દેશાવગાશિક વ્રત છે.” અને શ્રુતજ્ઞાનવડે જીવાસ્તિકાય આદિ પદ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું–તેમાં સ્થિતિ કરવી, તે “નિશ્ચયથી દશમું દેશાવગાશિક વ્રત છે.”
અગ્યારમું વ્રત અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છડી સ્વાધ્યાય–ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે વ્યવહારથી અગિયારમું પૌષધ વ્રત” છે. અને આત્માના ગુણનું જ્ઞાન ધ્યાનવડે પિષણ કરવું, તે “નિશ્ચયથી અગિયારમું વ્રત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org