SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (126 જૈનતત્ત્વ વિચાર જ્ઞાનથી જેમ વિચારે અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારો અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહા- ચક અને આદરણય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરgય છે. બધાને સાર એ જ છે કે-જે માનવીને ચઢાવ કે પાડ હેય, તો સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મેટી આવશ્યકતા રહે છે અને એટલા માટે કોઈ પણ ક્ષેત્રના નાયકો સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે. આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે–શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે, તે સોએ સો ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારેને વિપરીત માગે પલટા-વનાર છે અને એટલા માટે શ્રી જૈનશાસનથી વ્યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈપણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યફ શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા " ઉપર ઘા કર્યા વિના કેવળ આચારેને ખોટા વર્ણવવાને પ્રયતન કરનાર શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક બહુલકમી આત્માઓ શ્રી જિનમતના અનુયાયીઓની શ્રદ્ધાના પાયા હિચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હોય તેમ જોઈ શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy