________________
સાત નયની ઘટના
કઈ પણ વસ્તુની યથાર્થ પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશને અપલાપ કે પ્રતિક્ષેપ કર્યો વિના વસ્તુના કેઈ એક સંદશનું ગ્રહણ કરે, તે અપેક્ષા વિશેષનું નામ “નય” એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે, અથવા વ્યુત્પત્તિથી જોઈએ તે “ની ધાતુ દોરી જવું–લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તસ્વરૂપ ભણી દેરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ–ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્સર સનાયસંપન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારે હાઈ તેને નય નામ યથાર્થપણે ઘટે છે.
એટલે નયને પ્રાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાર્થપ્રાપ્તિના ઉપકમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અર્થઘટના કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચંદ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કાંઈ દૂષણ કે વિરોધ જેવું નથી એટલું જ નહિ પણ આમાથી મુમુક્ષુને પરમાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org