SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સાત વયની ઘટના 99 સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે. સાત નમાંથી પ્રથમના ત્રણ ના બાહ્ય (નિમિત્ત) સાધન છે અને પછીના ચાર ના અંતર (ઉપાદાન) સાધન છે. દષ્ટાંત–જેમ એક સેનીને કંઠી ઘડવાની ઈચ્છા થઈ. જો તે પ્રબળ પરિણામી ન હોય તે સોનાને અભાવે યા સંગેના અભાવે કંઠીનું કાર્ય થઈ શકતું નણી, પણ જ્યારે પ્રબળ ઈચ્છા થાય છે, ત્યારે તનતોડ પ્રયત્ન કરીને કાર્યો કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દઢ ઈચ્છા સંકલ્પ તે “નૈગમ નય.” નિગમ શબ્દને અર્થ સંકલ્પ પણ થાય છે. સંકલ્પ માત્રનો વિષય કરવાવાળે નૈગમ નય કહેવાય છે. કાર્ય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી (ગમ નથી), છતાં પ્રબળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દોરે છે–પ્રેરે છે– લઈ જાય છે. સારી પ્રબળ ઈચ્છા તે ગમ નય.’ તે ઈચ્છાની પ્રેરણાથી વા પાવરથી સાધનસામગ્રી (એરણ હથેડી, અગ્નિ વગેરે) ને સંગ્રહ કરતા જાય તે “સંગ્રહ નય” પહેલે નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલા નય તે નયાભાસ અને છે. એમ બીજે ત્રીજાને, ત્રીજે ચોથાને પરંપરાએ સહાયક અને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે પ્રેરક બનનાર પાછળને નય, નય કહેવાય પરંતુ જ્યારે જ્યારે અને જયારથી પ્રેરક બનતો અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી (નિષ્ફળ પરિણામી) બન જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy