________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
સ્પર્શ કરનારા હોય છે, કારણ કે–વસ્તુનું વિચારમાં આવતું કઈ પણ સ્વરૂપ લઈએ, તે કાં તે તે સામાન્ય હશે અને કાં તો તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે એને શાસ્ત્રમાં અનુકમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નામ આપવામાં આવ્યા છે.
પ્ર - આ સિવાય બીજું ટૂંકું વગીકરણ થઈ શકે?
ઉo– હા. જેમકે–અર્થનય અને શબ્દનય, વિચારે ગમે તે અને ગમે તેટલા હોય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે અને કાં તો તે મુખ્યપણે શબ્દને સ્પર્શી પ્રવૃત્ત થતાં હશે. અર્થ સ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય કિયાનય, જ્ઞાનનય વ્યવહારનય, પરમાર્થનય-એવાં અનેક યંગ્ય વગીકરણ થઈ શકે.
પ્ર- આને જરા વિસ્તાર કરવો હોય તે શકય છે? ઉહા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના. ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. એ સાતનાં નામ આ પ્રમાણે છે. (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ત્રાજુ સૂત્ર (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવંભૂત. આની વિગત આગળનાં લેખમાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org