SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રેમબલિદાન મેસ લેથિયરીની પ્રકૃતિ એવી હતી કે, કોઈ વાત એક વખત સાંભળી, કે તેને કાયમની યાદ રહી જાય. દેશની પ્રકૃતિ એવી હતી કે, સાંભળેલી વાત તે તરત ભૂલી જાય. કાકો અને ભત્રીજી વચ્ચે આ તફાવત હતો. દેશતનો ઉછેર જ એવી રીતે થયેલો હતો કે, તેને જવાબદારીનું કશું ભાન જ ન હતું. ગંભીરપણે–વિચારપૂર્વક ન અપાયેલી કેળવણીમાં એવાં અનેક જોખમ રહેલાં હોય છે. પોતાના બાળકને વધારે પડતું જલદી સુખી બનાવી દેવાનો પ્રયત્ન કરવો, એમાં ડહાપણ નથી. દેશે એમ જ માનતી કે, પોતે સંતુષ્ટ થઈ, એટલે આખી દુનિયાને સંતુષ્ટ જ થયેલી ગણી લેવાની. તેને એમ પણ લાગતું કે, તેના કાકા તેને સુખી જોઈને જ સુખી થાય તેમ છે. તેને જીવન વિશે કશો ખ્યાલ જ નહોતો. કોઈક દિવસ અમર્યાદપણે પ્રેમમાં પડી જવાય એવું બધું જ તેનામાં ઊભું થતું જતું હતું. દરમ્યાન માત્ર તે મોજમાં રહેતી હતી. તે પસાર થતી ક્ષણમાં જ જીવતી–તે વખતે જેવો ઘાટ તે મુજબ ગાતી કે બોલતી. કાંઈક થોડુંક કામ પતાવ્યું – ન પતાવ્યું અને દોડી જાય. રોજ સવારે તે આગલા દિવસે કરેલાં બધાં કામ ભૂલીને જ જાગતી. ગયે અઠવાડિયે તેણે શું શું કર્યું હતું એમ તેને પૂછો, તો તે કશો જવાબ જ ન આપી શકે. દરેક જણ જોડે તે ખેલ જ કર્યા કરતી. રસ્તા ઉપર થઈને પસાર થનારને તે ખામુખા પજવતી. છોકરાઓને અવનવી રીતે સતાવતી. સામો સેતાન મળે, તો પણ તેને છેડયા વિના તે ન રહે. તે સુંદર તો હતી જ અને સાથે સાથે એટલી નિર્દોષ, કે તે બાબતનો લાભ લેતાં તે અચકાતી નહીં. બિલાડીનું નાનું બચ્ચું તેના પંજા વડે પ્રહાર કરે તે રીતે જ તે હસી પડતી. જેને તે વાગે તેની પીડા તે જાણે! દેરતને તો પછી આગળ કશો વિચાર જ ન આવે. “ગઈ કાલ” તેને માટે હતી જ નહીં. આજ'માં જ તે જીવતી. વધારે પડતા સુખનું એ પરિણામ હતું: બરફ ઓગળી જાય, તેમ દેરતની સ્મૃતિ પણ ઓગળી જતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy