SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રેમ-બલિદાન યરીને મતે પાદરી વર્ગનો કોઈ જ માણસ સારો હોઈ શકે નહિ. અલબત્ત, લેથિયરી એવા સદ્ભાવી માણસ હતા કે, તે કોઈની પાછળ જાણી જોઈને તો પડે જ નહિ. એટલે પાદરી વર્ગ પ્રત્યે પણ તેનું વલણ હુમલાખાર હોવાને બદલે માત્ર અવરોધક જ હતું. અર્થાત્ તે એ લોકોને પેાતાનાથી દૂર રાખતા. તે લોકોએ તો તેને ઘા કર્યો હતા, પણ તેણે તે માત્ર તેમના પ્રત્યેની શુભેચ્છા પાછી ખેંચી લઈને જ સંતોષ માન્યા હતા. ગ્યર્નસી એક નાના ટાપુ કહેવાય; પરંતુ તેમાં બે જુદા જુદા પંથાને જગા મળી હતી કૅથલિક તેમ જ પ્રોટેસ્ટંટ. તેય જર્મનીની પેઠે નહિ – જર્મનીમાં તે એક જ દેવળમાં જુદા જુદા ભાગલા પાડી જુદા જુદા પંથા ભક્તિ કરી શકે છે; વેદીઓ સરખી સંખ્યામાં જુદી જુદી હોય છે, પણ ધંટ એક જ હોય છે. એક જ દાંટ બંને પ્રકારની પૂજાભક્તિ માટે વાગતા હાય છે; ત્યારે ગ્યર્નસીમાં તા દરેક પંથને કસબા તથા દેવળ જુદાં જુદાં જ હતાં. મેસ લેથિયરીને પુરાણો પંથ કે નવા સુધારક પંથ બેમાંથી એકે પસંદ ન હતા. મજૂર વર્ગમાંથી ઊભા થયેલા એ વહાણવટી-કારીગરફિલસૂફ ભારે ખૂણા અને પૂર્વગ્રહો ધરાવતો હતો. એક વખત રેવ૦ જૅકેમિન હેરોદનું નરક ઉપરનું વ્યાખ્યાન ભાગોગે તેના સાભળવામાં આવ્યુ. તે વ્યાખ્યાનમાં શાસ્રવાકયોનાં પ્રમાણ ભરી ભરીને નરકની કાયમની સજાઓનું, તેની વેદનાઓ અને રિબામણનું, અધોગતિનું, શાશ્વત અગ્નિનું, ઈશ્વરી ગુસ્સાનું, તથા પાપીઓના પાપના અપાતા ભારોભાર દૈવી બદલાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું હતું. વિશ્વાસુ લાકો એ વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ગયા મેસ લેથિયરી, વ્યાખ્યાન પૂરું થયે, એક વિશ્વાસુ ભક્ત સાથે ચર્ચની બહાર નીકળ્યા, ત્યારે બાલ્યા વિના ન રહ્યો કે, “ ભાઈ, હું તો માનતા હતો કે, ભગવાન બહુ ભલા છે. પણ આ લોકો કહે છે તેવે તે ક્રોધી અને બદલાખાર હાય, તો તે તેની પાછળ પડવું નકામાં છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy