SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમબલિદાન એ પાટડાઓનું કદ બે દંતૂશળા વચ્ચેના માપ કરતાં મેટું રાખવામાં આવ્યું હોઈ, નાના-વ્ર તરફ થોડા ઢળતા રહેતા હતા. એ ચાર પાટડાને આધારે પછી આખું ખુલીનું માળખું ગાઠવવામાં આવ્યું હતું અને મજબૂત દોર દુરાંદે સુધી ખેંચવામાં આવ્યા હતા. દૂરથી તેા એ બધા પાતળા તાંતણા જેવા જ દેખાય. ૧૫૮ એ દારને આધારે જાણે આખું દુરાંદેનું ખાખું લટકી રહેલું હોય એમ આઘેથી દેખાતું હતું. જોકે, હજુ એ પૂરેપૂરું લટકેલું હતું એમ ન કહેવાય. અમે એ બધી રચનાનું વિગતે વર્ણન આપવા માગતા નથી. ઍજિનિયરોને એ બધાની પાછળ રહેલા સિદ્ધાંત સમજાય. સામાન્ય વાચકને ન પણ સમજાય. ઉપરાંત જિલિયાતે પણ એ બધું આપસૂઝથી કર્યું હતું, કોઈ સાંભળેલી-જોયેલી કે શીખેલી પદ્ધતિ અનુસાર કર્યું જ ન હતું. ત્રણ સૈકાં અગાઉ, સેાળમી સદીમાં કડિયા-સુતાર સૉલ્ઝિસે શારિતે-સુર-લૉઇરના દેવળનું જંગી ઘડિયાળ પેાતાનાં સાદાંસીધાં ઓજારો વડે અને પેાતાના છેાકરાની મદદથી, બેલ-ટાવરના બીજા મલાથી પહેલા મજલા ઉપર ઉતાર્યું હતું. એ બધું કશા ખાસ ઇજનેરી-વિદ્યાના પછી શેાધાયેલા સિદ્ધાંતો અનુસાર જ થયું ન કહેવાય; છતાં માણસને જયારે કંઈ કામ પાર પાડવું હોય છે, ત્યારે આપ-સૂઝથી તે કેટલાંય સૈકાં બાદ ગ્રંથસ્થ થયેલા કે જાણીતા થયેલા સિદ્ધાંતાના પેાતાની ગામઠી રીતે અમલ કરતા હાય છે. તેણે મોટા મોટા આઠ કે દશ ખીલા તૈયાર કરી, દુના પાયાના ખડકોમાં ઠોકીને ખોસ્યા હતા. અલબત્ત, એમની શી જરૂર કે ઉપયોગ હશે, તે અત્યારે તે કહી શકાય તેમ ન હતું, પણ જિલિયાતના મનમાં તેમનો કશા ઉપયાગ જરૂર હતા. ઉપરાંત દુરાંદેની બાજુએ પાટિયાંના જે તરાપો લટકી રહ્યો હતો, તેને પણ કુહાડાથી દરિયામાં તેાડી પાડવાને બદલે, તેણે દોરડાંથી અધ્ધર તાણી બાંધ્યા હતા. તે અંગે પણ તેની કશીક ગણતરી જરૂર હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy