SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ પુરુષાર્થ અને સિદ્ધિ ૧૫૭ભણેલા કહેવાતા માણસ કરતાં, આવા સાદા સીધા અંતરની સ્ફુરણા વધુ સ્પષ્ટ – વધુ સાચી હોય છે. અજ્ઞાન નમ્રતા પ્રેરીને માણસને પ્રયોગશીલ બનાવે છે. અજ્ઞાનની પણ એક ચિંતન-સમાધિ હોય છે; અને તેને અંતે પ્રજ્ઞા લાધતી હાય છે. ત્યારે ઘમંડી જ્ઞાન ઘણી વાર હતાશ કરે છે અને કોઈ પણ પ્રયોગ કરવા જતાં પાછા વાળી દે છે. કોલંબસ જો ભણેલા-ગણેલા વહાણવટી હાત, તો તે કદી અમેરિકા શેાધી શકયો ન હોત. માઉંટબ્લૅન્ક ઉપર સફળપણે ચડનાર બીજો માણસ ભણેલો હતા પણ પહેલો માણસ તે એક ભરવાડ જ હતા. જિલિયાતે હવે પેાતાની હોડીમાં જઈ તેની વચ્ચેની ખુલ્લી જગાનાં માપ લીધાં. પછી તે દુરાંદે ઉપર પાછા આવ્યા, અને તેના ઍંજિનના તળિયાનું માપ કાળજીથી લીધું. બાજુનાં પૅડલ-વ્હીલ કાઢી લીધાં હોવાથી, એંજિનની પહોળાઈનું માપ પેાતાની ડચ-બાટના પેટાળ કરતાં બે ફૂટ ઓછું થયું હતું. એટલે શીશીનામાંમાં બૂચ પેસાડીએ એટલી સીધમાં એંજિન ડચ-બાટમાં ઉતારવામાં આવે, તે અંદર સમાઈ શકે ખરું! પણ લેથિયરીનું ઑજિન એ કંઈ શીશીના બૂચ નહોતા! એ તે લેાખંડની વજનદાર વસ્તુ હતી. ય હવે પછીના થોડા વખત દરમ્યાન કોઈ માછીમાર જે ભૂલેચૂકે આ ઋતુમાં વ્રે ખડકા તરફ પેાતાની હોડી હંકારી લાવ્યા હોય, તો દૂરથી પણ તેને દુવ્રના દંતૂશળા વચ્ચે એક વિચિત્ર દેખાવ જોવા મળે. ચાર જંગી પાટડા નાના-દુબ્રેથી મેટા-દુન્નેની વચ્ચે જકડી દેવામાં આવ્યા હતા. એ પાટડાને એક છેડો તે નાના-દુગ્રેના ખાંચામાંથી એકાદમાં બરાબર ફસાવેલા હતા, પણ બીજો છેડો માટા-બ્રેના સપાટ ખડકમાં ઉપરથી કેવળ જોરથી ઠોકીને જ જડવામાં આવ્યા હતા. એ. ઠોકનાર હાથનું બળ તથા એ હથેાડે અલૌકિક જ કહેવાં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy